રાજકુમાર જાટ કેસ: ગણેશ ગોંડલનો નાર્કો રિપોર્ટ રજૂ
નાર્કો ટેસ્ટમાં ગણેશ ગોંડલે માર માર્યાનો કર્યો ઈનકાર; હાઈકોર્ટમાં હવે ૧૫ જાન્યુઆરીએ થશે વધ

નાર્કો ટેસ્ટ અને તપાસનો રિપોર્ટ

નાર્કો ટેસ્ટ અને તપાસનો રિપોર્ટ
રાજકુમાર જાટ અપમૃત્યુ કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં આજે મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસના મુખ્ય શંકાસ્પદ ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટના અહેવાલે સૌને ચોંકાવી દીધા છે, કારણ કે આ અહેવાલ ફરિયાદીના દાવાઓથી વિપરીત હોવાનું સામે આવ્યું છે.
૧૧ ડિસેમ્બરે ગાંધીનગર એફએસએલ (FSL) ખાતે ગણેશ ગોંડલના હાથ ધરવામાં આવેલા નાર્કો એનાલિસિસ ટેસ્ટની વિગતો આજે સીલબંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ તપાસમાં નીચે મુજબની મહત્વની બાબતો સામે આવી છે:
સવાલોની ઝડી: નાર્કો ટેસ્ટ દરમિયાન ગણેશ ગોંડલને કુલ ૩૧ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
ગુનાનો ઈનકાર: ગણેશ ગોંડલે ટેસ્ટ દરમિયાન રાજકુમાર જાટને માર માર્યો હોવાની કે તેની વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું કાવતરું રચ્યું હોવાની વાતનો સદંતર ઈનકાર કર્યો છે.
તકનીકી તપાસ: સરકારી વકીલે જણાવ્યું હતું કે એસપી (SP) કક્ષાના અધિકારીઓએ સીડીઆર (CDR), નાર્કો ટેસ્ટ અને સાહેદોના નિવેદનોના આધારે ઊંડાણપૂર્વક તપાસ કરી છે, જે અહેવાલ હાલ ફરિયાદીના સમર્થનમાં નથી.
જ્યારે પોલીસે આ ઘટનાને અકસ્માત ગણાવી છે, ત્યારે અરજદાર (રાજકુમારના પિતા) ના વકીલે કોર્ટમાં અનેક શંકાસ્પદ મુદ્દાઓ ઉઠાવ્યા હતા:
પોસ્ટમોર્ટમ રિપોર્ટ: યુવકના પોસ્ટમોર્ટમમાં ૪૨ જેટલી ઇજાઓ જોવા મળી છે. જો આ સામાન્ય અકસ્માત હોય, તો મૃતકના ગુદાના ભાગે ગંભીર ઇજા અને સળિયા જેવા હથિયારના નિશાન કેવી રીતે હોઈ શકે?
CCTV અને કપડાં: રાજકુમાર અમુક સીસીટીવી ફૂટેજમાં કપડાં પહેરેલો અને અમુકમાં નગ્ન હાલતમાં કેમ દેખાય છે? જો તે ૫૨ કિલોમીટર એકલો ચાલ્યો હોય, તો તેને કપડાં કોણે આપ્યા?
પુરાવાની કમી: આઠ દિવસ બાદ મૃતદેહ નગ્ન હાલતમાં હાઈવે પરથી કેવી રીતે મળ્યો?
આ વિવાદની શરૂઆત ૩ માર્ચ, ૨૦૨૫ના રોજ થઈ હતી જ્યારે UPSC ની તૈયારી કરતો ૨૪ વર્ષીય રાજકુમાર જાટ ભેદી રીતે ગુમ થયો હતો. ૧. આક્ષેપો: પિતા રતનલાલ જાટનો આક્ષેપ છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ ગોંડલે રાજકુમારની હત્યા કરી છે. ૨. પોલીસ વર્ઝન: પોલીસ તેને હાઈવે પર બસ સાથે થયેલા અકસ્માતમાં થયેલું મોત ગણાવી રહી છે. બસ ડ્રાઈવરની વોઈસ સ્પેક્ટોગ્રાફી પણ કરવામાં આવી છે. ૩. નવી તપાસ ટીમ: હાઈકોર્ટના આદેશથી રાજકોટ જિલ્લા બહારના અધિકારી સુરેન્દ્રનગર એસપી પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.ડી. પુરોહિતને તપાસ સોંપવામાં આવી હતી.
આગામી કાનૂની કાર્યવાહીહાઈકોર્ટે અત્યારે આ રિપોર્ટની નોંધ લીધી છે અને તમામ દસ્તાવેજો ટ્રાયલ કોર્ટમાં ફાઇલ કરવા આદેશ આપ્યો છે. મૃતકના પિતાને તપાસના તમામ કાગળો પૂરા પાડવામાં આવશે. અરજદારના વકીલ નાર્કો ટેસ્ટના રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ પોતાની રજૂઆત કરશે. આ હાઈ-પ્રોફાઈલ કેસની આગામી સુનાવણી હવે ૧૫ જાન્યુઆરી ના રોજ યોજાશે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.