Rajkot: ગોંડલમાં બે PGVCL કર્મચારીના કરંટ લાગવાથી કમકમાટીભર્યા મોત!
બંને યુવાન કર્મચારીઓના મોતથી ગોંડલમાં શોકનો માહોલ છવાયો હતો.

કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા હતા

કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા હતા
રાજકોટના ગોંડલમાં કમકમાટીભર્યા સમાચાર મળ્યા છે. ગોંડલમાં સબ જેલ સામે પીજીવીસીએલના કર્મચારી કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બે કર્મચારીના મોત નીપજ્યા હતા. બંને યુવાન કર્મચારીઓના મોતથી ગોંડલમાં શોકનો માહોલ છવાયો હતો. પીજીવીસીએલ સામે કર્મચારીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થયા છે.
માહિતી અનુસાર પીજીવીસીએલ દ્વારા છેલ્લા ચાર દિવસથી શ્રી હારી ફીડરમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું. આ કામમાં 25 જેટલા કર્મચારીઓ જોતરાયેલા હતા. અચાનક વીજ પ્રવાહ ચાલુ થઈ જતા ભગવાનસિંગ રામલાલ ભીલ અને સુરજકુમાર બનેસિંગ ભીલને કરંટ લાગવાથી મોત નીપજયું હતું.બંને યુવાન વીજ પોલ પર ચડી નવી વીજ લાઈન નાખતા હતા. તે દરમિયાન કરંટ લાગ્યું હતું.બંનેની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોચી હતી. પરંતુ ત્યાં સુધીમાં બે યુવાનો જીવ ગુમાવી ચુક્યા હતા.વોરા કોટડા રોડ પર ચાર દિવસ પહેલા નવી વિજલાઇન નાખવાનું કામ કોન્ટ્રાકટ બેઈઝ શરુ કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે. અંદાજે 30 મજુરો વિજયનગર અર્બન ફીડરમાં આવતા વિસ્તારોમાં નવી લાઈનો નાખતા હતા. તે દરમિયાન ઘટના બની હતી.તેમના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ ઘટના પગલે સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો હતો. બીજી બાજુ વીજ કંપનીમાં કોન્ટ્રાકટ હેઠળ કામ કરતા કર્મચારીઓની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઉભા થયા હતા. પોલીસ આ બાબતે ગુનો નોધીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!