રાજકોટ શહેરમાં ક્ષત્રિય સમાજના અગ્રણી પી. ટી. જાડેજા વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કાર્યવાહી કરાયા બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે.
અત્રે જણાવવું યોગ્ય છે કે, રાજકોટ શહેર તાલુકા પોલીસ દ્વારા પી. ટી. જાડેજાની અટકાયત કરીને તેને પાસા હેઠળ સાબરમતી જેલ મોકલવા તજવીજ શરૂ કરવામાં આવી છે. આ પગલાના વિરોધમાં બહુમાળી ચોક ખાતે ક્ષત્રિય સમાજના 60થી વધુ પુરુષો અને મહિલાઓ એકઠા થયા અને કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપી કર્યો વિરોધ.
શા માટે થયો વિવાદ?
દિવસ અગાઉ અમરનાથ મંદિરમાં આરતી અંગે વિવાદ થયો હતો. જેમાં પી. ટી. જાડેજા પર આરોપ લગાવાયો હતો કે, તેમણે ધમકી આપી હતી. આ મામલે એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યાર બાદ તેમનો પાસા હેઠળ અમલ થયો.
ક્ષત્રિય સમાજનો વિરોધ અને નિવેદનો
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ તરફથી ડૉ. જયેન્દ્રસિંહ જાડેજાએ વિડીયો જાહેર કરી કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, પી.ટી. જાડેજાને નાની બાબતમાં ટાર્ગેટ કરાયા છે. જો ધમકી આપી હતી તો પોલીસ સ્ટેશનથી જામીન મળતાં, પણ તેમને રીઢા ગુનેગાર જેવી હેરાનગતી મળી. સરકાર રાજપૂત સમાજ સાથે રાજકીય રીતે દબાવ લાવી રહી છે, જે યોગ્ય નથી.