ભાજપના 30 વર્ષના શાસનમાં આદિવાસી વિસ્તારોમાં હજુ પાકા રસ્તા બન્યા નથી. આદિવાસી વિસ્તારોમાં રસ્તાના અભાવે આજે પણ સગર્ભા મહિલાને ઝાળીમાં નાખીને લઈ જવું પડે છે. આવી કરૂણ પરિસ્થિતિ હોવા છતાંય ભાજપના ધારાસભ્યને આદિવાસી જનતાના દુ:ખની પડી નથી.પરંતુ તેમનું કહવું છે કે સગર્ભાને ઝોળીમાં નાખીને લઈ જવાનો જાણે ટ્રેન્ડ બની ગયો છે.
30 વર્ષથી આદિવાસી વિસ્તારોમાં રસ્તા બન્યા નથી, ભાજપના ધારાસભ્યએ દોષનો ટોપલો પ્રજા પર ઢોળ્યો :
એક તરફ સરકાર દ્વારા છેવાડાના વિસ્તાર સુધી વિકાસ થયો છે, છેવાડાના દરેક વ્યક્તિ સુધી લાભ પહોંચ્યો છે. તેવો સરકાર દરેક વખત દાવો કરતી હોય છે. પરંતુ કડવી હકીકત એ છે કે આદિવાસી વિસ્તારોમાં આજે પણ રસ્તાઓ બન્યા નથી જેના કારણે સામાન્ય નાગરિકને દૂર દૂર સુધી ચાલીને જવું પડે છે. તેમાં પણ દર્દીઓને ઝોળીમાં નાખીને દૂર સુધી લઈ જવું ઘણું અઘરું પડે છે. કેમકે છેવાડાના વિસ્તારોમાં રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ જેવા વાહનો સ્થળ સુધી પહોંચી શકતા નથી. જેના કારણે ત્યાંના સ્થાનિક નાગરિકોને આ પ્રકારની હાલાકી ભોગવાનો વારો આવી જાય છે.
આદિવાસી જેવા વિસ્તારોમાં દર્દીને ઝોળીમાં નાખીને લઈ જવાના અનેક કિસ્સાઓ જોવા મળ્યા હતા. જ્યારે મૂળ કોંગ્રેસી અને છોટા ઉદેપુરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ કહ્યું કે સગર્ભા મહિલાને ઝોળીમાં લઈ જવાનો જાણે ટ્રેન્ડ થયો હોય જ્યારે વધુમાં કહ્યું કે એકાદ બે ખેતરમાં ચાલીને જવું તો એમા શું થયું ? કોંગ્રેસમાં રહીને ભાજપને ગાળો ભાંડવામાં તેમણે કોઈ કસર છોડી નથી તે ધારાસભ્ય હવે ભાજપ સરકારની વાહવાહી કરવા લાગ્યા છે
ભાજપના શાસનમાં 30 વર્ષ પછી પણ આદિવાસી જેવા વિસ્તારોમાં માર્ગો બન્યા નથી. આરોગ્યની સુવિધાના પણ ઠેકાણા નથી જે નરી આંખે વાસ્તવિકતા જોઈ શકે અને રાજેન્દ્ર રાઠવા જેવા નેતા આ વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી. ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ સરકારને દોષ આપવાના બદલે આદિવાસી પ્રજા પર દોષનો ટોપલો ઢોળ્યો હતો. આદિવાસી પ્રજાના મતથી રાજેન્દ્ર રાઠવા ધારાસભ્ય બન્યો છે તે આદિવાસી લોકોની વેદના જાણવામાં પણ તેમને રસ રહ્યો નથી.