સાબરમતી જેલમાં કેદીનો આપઘાત: પાઘડીથી ખાધો ફાંસો
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચોરીના ગુનામાં બંધ પંજાબના કેદીએ બાથરૂમમાં કરી આત્મહત્યા

કેદીની આત્મહત્યા

કેદીની આત્મહત્યા
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે. જેલમાં બંધ એક કેદીએ વહેલી સવારે બાથરૂમમાં જઈ આત્મહત્યા કરી લેતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી ગઈ છે. મૃતક કેદીની ધરપકડ હજુ નવ દિવસ પહેલા જ કરવામાં આવી હતી.
પંજાબના યુવકે જેલમાં જ ભર્યું અંતિમ પગલું :
મૃતકની ઓળખ ૩૧ વર્ષીય નિશાન સિંહ તરીકે થઈ છે, જે મૂળ પંજાબનો વતની હતો. વિરમગામ રેલવે પોલીસે ગત ૮ જાન્યુઆરીના રોજ તેની ચોરીના ગુનામાં ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યો હતો. આજે વહેલી સવારે જેલના શાંતિનિકેતન યાર્ડના બેરેક નંબર ૪ માં નિશાન સિંહે પોતાની પાઘડી ઉતારી તેના કાપડનો ઉપયોગ કરી બાથરૂમમાં ગળે ફાંસો ખાઈ લીધો હતો.
પોલીસ તપાસ અને આત્મહત્યાનું રહસ્ય :
ઘટનાની જાણ થતા જ જેલના અધિકારીઓ દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં નિશાન સિંહનું મોત નીપજ્યું હતું. જેલના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી કારણ કે ઘટનાસ્થળેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી આવી નથી. રાણીપ પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.
જેલ સુરક્ષા પર ઉઠ્યા સવાલો :
માત્ર નવ દિવસના જેલવાસ દરમિયાન કેદીએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે પોલીસ માટે તપાસનો વિષય બન્યો છે. પંજાબથી ચોરીના ગુનામાં પકડાયેલા આ કેદીએ માનસિક તણાવમાં આ પગલું ભર્યું છે કે અન્ય કોઈ કારણ છે, તે દિશામાં રાણીપ પોલીસ અને જેલ સત્તાધીશો વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.