નારાયણ સાંઈને કડક બંદોબસ્તમાં સિવિલ ખસેડાયા
દુષ્કર્મી નારાયણ સાંઈને મેડિકલ ચેકઅપ માટે સુરત સિવિલ લાવવામાં આવ્યો

નારાયણ સાંઈ

નારાયણ સાંઈ
સુરતની લાજપોર જેલમાં દુષ્કર્મના ગુનામાં આજીવન કેદની સજા કાપી રહેલા નારાયણ સાંઈને આજે સ્વાસ્થ્ય પરીક્ષણ માટે નવી સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. આસારામના પુત્ર નારાયણ સાંઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ તે જેલના ગણવેશને બદલે સાદા કપડામાં જોવા મળતા અનેક ચર્ચાઓ જાગી છે.
ચુસ્ત સુરક્ષા અને હાથકડીનો અભાવ :
જેલ પ્રશાસન દ્વારા તેને રૂટીન મેડિકલ ચેકઅપ માટે લાવવામાં આવ્યો ત્યારે પોલીસનો મોટો કાફલો તેની સાથે રહ્યો હતો. હોસ્પિટલના ઓપીડી અને સ્પેશિયલ વોર્ડમાં સુરક્ષાના સખત ઇન્તજામ કરાયા હતા. જોકે, નવાઈની વાત એ હતી કે પાકા કામના કેદી હોવા છતાં તેના હાથમાં હથકડી નહોતી અને તે માથે મફલર બાંધીને જૂના અંદાજમાં જોવા મળ્યો હતો.
તબીબોની પેનલ દ્વારા તપાસ :
સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોની પેનલ દ્વારા નારાયણ સાંઈના વિવિધ રિપોર્ટ્સ કરવામાં આવ્યા હતા. જેમાં સોનોગ્રાફી, બ્લડ પ્રેશર અને સુગર લેવલની તપાસ મુખ્ય હતી. તબીબોએ જરૂરી દવાઓ લખી આપીને સ્વાસ્થ્ય અંગે સૂચનો આપ્યા હતા. છેલ્લા 12 વર્ષથી જેલમાં રહેલો નારાયણ સાંઈ વિવિધ શારીરિક તકલીફોથી પીડાતો હોવાનું સામે આવ્યું છે.
જેલના જીવનમાં બીમારીઓનો ઘેરો :
ક્યારેક મહેલ જેવી લક્ઝુરિયસ લાઈફ જીવતો નારાયણ સાંઈ હવે જેલમાં બીમારીઓનું ઘર બની ગયો છે. તેને અવારનવાર કમર, હાડકા તેમજ દાંત અને જડબાને લગતી સમસ્યાઓ રહેતી હોય છે. જેના કારણે તેને સમયાંતરે જેલમાંથી સારવાર માટે હોસ્પિટલ લાવવો પડે છે. મેડિકલ તપાસ પૂર્ણ થયા બાદ તેને ફરી કડક સુરક્ષા હેઠળ લાજપોર જેલ પરત મોકલી દેવાયો હતો.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.