ISIS આતંકી કેસ હવે NIAના હવાલે, મોટો વળાંક
રાઇઝિન ઝેર અને હથિયારો સાથે ઝડપાયેલા 3 આતંકીઓની તપાસ હવે કેન્દ્રીય એજન્સી કરશે.

ISIS આતંકી કેસ હવે NIAના હવાલે

ISIS આતંકી કેસ હવે NIAના હવાલે
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા નવેમ્બર ૨૦૨૫માં ઝડપી પાડવામાં આવેલા ISISના ત્રણ આતંકીઓનો કેસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપવામાં આવ્યો છે. આતંકીઓ પાસેથી મળી આવેલા ઘાતક 'રાઇઝિન' (Ricin) ઝેર અને વિદેશી હથિયારોએ સુરક્ષા એજન્સીઓની ઊંઘ હરામ કરી દીધી હતી. કેસની ગંભીરતા અને આંતરરાષ્ટ્રીય કડીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ વિભાગે તપાસનો દોર NIAના અમદાવાદ યુનિટને સોંપવાનો આદેશ કર્યો છે.
ઝેરીલી સાજિશ અને ચીન કનેક્શન
તપાસમાં સૌથી મોટો ઘટસ્ફોટ ડો. અહેમદ સૈયદને લઈને થયો છે. ચીનથી મેડિકલનો અભ્યાસ કરી પરત ફરેલો આ ડોક્ટર પાકિસ્તાની હેન્ડલર અબુ ખદીજાના સીધા સંપર્કમાં હતો. આ આતંકીઓ કેસ્ટર ઓઈલ (દિવેલ)માંથી અત્યંત ઝેરી ગણાતું 'રાઇઝિન' બનાવી રહ્યા હતા. તેમનો ઈરાદો ખોરાક કે પાણીમાં આ ઝેર ભેળવીને મોટા પાયે જનસંહાર કરવાનો હતો. જો સુરક્ષા એજન્સીઓએ સમયસર કાર્યવાહી ન કરી હોત, તો દેશમાં કેમિકલ વોરફેર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ શકતી હતી.
હથિયારોની હેરાફેરી અને રેકી: ઝડપાયેલા અન્ય બે આરોપીઓ આઝાદ સુલેમાન અને મોહમ્મદ સુહેલ ઉત્તર પ્રદેશના રહેવાસી છે. તેઓ રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લાવી ગાંધીનગરના કલોલ પાસેના એક કબ્રસ્તાનમાં છુપાવતા હતા, જ્યાંથી ડો. અહેમદ આ હથિયારો કલેક્ટ કરતો હતો.
આ ટોળકીએ દિલ્હી, લખનઉ અને અમદાવાદના અત્યંત સંવેદનશીલ સ્થળોની રેકી પણ કરી હોવાનું બહાર આવ્યું છે. તેમની પાસેથી ૩ વિદેશી પિસ્ટલ અને ૩૦ જીવતા કારતૂસ મળી આવ્યા હતા.
NIA હવે શું તપાસશે? હવે NIA આ કેસમાં આતંકી ફંડિંગ, ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને વિદેશમાં છુપાયેલા હેન્ડલરો સાથેના નાણાકીય વ્યવહારોની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ આતંકીઓ ISKP (ઇસ્લામિક સ્ટેટ - ખોરાસાન પ્રાંત) ની વિચારધારાથી પ્રભાવિત હતા.
અગાઉ પણ ગુજરાત ATS એ અલકાયદા સાથે જોડાયેલા લોકોની ધરપકડ કરી હતી, જે જોતા ગુજરાતમાં આતંકી સ્લીપર સેલના નેટવર્કને તોડી પાડવું હવે NIA માટે પ્રાથમિકતા બની રહેશે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભાવનગરના માધવ બોય્ઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગનો ગંભીર આરોપ, મારપીટ અને બળજબરીથી સિગારેટ પીવડાવ્યાના આક્ષેપ; CCTV વીડિયો સામે આવ્યા બાદ નિલમબાગ પોલીસે 4 વિદ્યાર્થીઓ અને 2 રેક્ટર સહિત 6 સામે ગુનો નોંધ્યો.