ગુજરાતના 39 પુલ જર્જરિત અવસ્થામાં, 97 પુલો પર વાહન વ્યવહાર સ્થગિત
ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી સરકાર આવી હરકતમાં, 97 જોખમી પુલો પર વાહન વ્યવહાર બંધ અને 39 પુલો અતિ જોખમી

ગુજરાતમાં જર્જરિત બ્રિજ

ગુજરાતમાં જર્જરિત બ્રિજ
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ગુજરાત સરકાર આખરે જાગી છે. આ દુર્ઘટનામાં 20 નિર્દોષ લોકોના જીવ ગયા પછી રાજ્ય માર્ગ મકાન વિભાગ (R&B) હરકતમાં આવ્યું છે. રાજ્યભરના પુલોની તાત્કાલિક ચકાસણી હાથ ધરવામાં આવી છે, જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે.
આંતરિક સર્વે મુજબ, ગુજરાતમાં કુલ 97 પુલો પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે, કારણ કે તેઓ જોખમમાં હતા. 39 પુલો એવી સ્થિતિમાં છે કે, કોઈપણ ક્ષણે તે ધરાશાયી થઈ શકે છે. અમદાવાદ સહિત અન્ય મ્યુનિસિપલ વિસ્તારોમાં પણ આ સ્થિતી અતિ ગંભીર છે.
અમદાવાદ શહેરમાં કૂલ 3 પુલ પડું પડુંની અવસ્થામાં છે. જ્યારે સુરતમાં સૌથી વધુ 26 પુલો જર્જરિત અવસ્થામાં છે. આ સિવાય વડોદરામાં 2, જૂનાગઢમાં 3, જામનગરમાં 2 અને નવસારીમાં 2 પુલો અતિ જોખમી અવસ્થામાં છે
સરકારનો દાવો છે કે, કુલ 364 પુલોમાંથી 231 પુલોની સ્થિતિ સારી છે, પણ સ્થાનિક લોકોના દાવા અનુસાર, ડાયવર્ઝન અને બંધ થયેલા પુલોના કારણે રોજી-રોજગાર, ટ્રાન્સપોર્ટ, વિદ્યાર્થીઓ અને વેપારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.
ખાસ કરીને ગામડાંના વિસ્તારમાં વિદ્યાર્થીઓને શાળાઓ જવામાં મુશ્કેલી થઈ રહી છે, અને વેપારીઓ માટે માલ વહન બંધ થવાને કારણે વ્યવસાયમાં ભારે અસર પડી છે.
રમતગમત કે અકસ્માતોની રાહ જોઈ રહેલા પુલો હવે સરકારે ચિહ્નિત કર્યા છે. જોકે, લોકોનો આરોપ છે કે, આ અકસ્માત પહેલાં આર એન્ડ બી વિભાગ એકદમ બેદરકાર અને નિષ્ક્રિય હતો. હવે ચકાસણી અને સમારકામની કામગીરી વેગ પકડતી જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!