અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ
કુવૈત-દિલ્હી ફ્લાઈટમાં ટિસ્યૂ પેપર પર મળી બોમ્બની ધમકી; 180 મુસાફરોના જીવ જોખમમાં મુકાયા

ટિસ્યૂ પેપર પર લખવામાં આવ્યો લેટર

ટિસ્યૂ પેપર પર લખવામાં આવ્યો લેટર
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આજે ફરી એકવાર સુરક્ષા એજન્સીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા. કુવૈતથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટમાં અચાનક બોમ્બ અને હાઈજેકની ધમકી મળતા પ્લેનને ઈમર્જન્સીમાં અમદાવાદ ઉતારવાની ફરજ પડી હતી.
આજે કુવૈતથી દિલ્હી તરફ ઉડાન ભરી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક અત્યંત ચોંકાવનારી ઘટના બની હતી. ફ્લાઈટ હવામાં હતી ત્યારે જ ક્રૂ મેમ્બર્સને એક ટિસ્યૂ પેપર મળી આવ્યું હતું, જેના પર પ્લેનને હાઈજેક કરવા અને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી લખેલી હતી. આ લખાણ જોતા જ પાઈલટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કર્યો હતો. સુરક્ષાના કારણોસર પ્લેનને નજીકના એરપોર્ટ એટલે કે અમદાવાદ ખાતે ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
અમદાવાદ એરપોર્ટ છાવણીમાં ફેરવાયુંપ્લેન લેન્ડ થતાની સાથે જ અમદાવાદ એરપોર્ટ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડિટેક્શન સ્કવોડ (BDDS) અને CISF ના જવાનોએ વિમાનને ઘેરી લીધું હતું. ફ્લાઈટમાં સવાર કુલ 180 પેસેન્જરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. પ્રોટોકોલ મુજબ, દરેક મુસાફર અને તેમના તમામ લગેજનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈ એન.ડી. નકુમે જણાવ્યું કે, સુરક્ષા એજન્સીઓએ દરેક ખૂણે તપાસ કરી છે, પરંતુ સદનસીબે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
સતત બીજા કિસ્સાથી એજન્સીઓ દોડતી થઈનોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આવી ધમકી મળી હોય. માત્ર બે દિવસ પહેલા, 27 જાન્યુઆરી 2026 ના રોજ પણ એરપોર્ટને ઈ-મેલ દ્વારા ઉડાવી દેવાની ધમકી મળી હતી. 'અંબર દૂરહમ' નામના આઈડી પરથી આવેલા મેલમાં ખાલિસ્તાની સમર્થન અને મોદી-શાહ વિરુદ્ધ વાંધાજનક લખાણ હતું. તે સમયે પણ તપાસમાં કંઈ મળ્યું નહોતું, પરંતુ સતત મળતી આ ધમકીઓએ સાયબર સેલ અને સુરક્ષા એજન્સીઓની ચિંતામાં વધારો કર્યો છે.
મુસાફરોની હાલાકી અને વર્તમાન સ્થિતિઈમર્જન્સી લેન્ડિંગને કારણે મુસાફરો કલાકો સુધી અટવાયા હતા. પ્રોટોકોલ મુજબ પ્લેનને ગ્રીન સિગ્નલ મળતા પહેલા બે થી ત્રણ કલાકનો સમય લાગે છે. હાલમાં એરપોર્ટ પર સ્થિતિ સામાન્ય છે પરંતુ સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે ટિસ્યૂ પેપર પર આ ધમકીભર્યું લખાણ કોણે લખ્યું હતું અને શું તે ફ્લાઈટમાં સવાર કોઈ મુસાફરનું કૃત્ય છે કે કેમ.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.