ગાંધીનગરમાં વિદ્યાર્થિના આપઘાતથી શિક્ષણજગત સ્તબ્ધ
F.Y. B.A. માં અભ્યાસ કરતી આશાસ્પદ યુવતીએ જીવન ટૂંકાવ્યું; પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ.

વિદ્યાર્થિના આપઘાતથી શિક્ષણજગત સ્તબ્ધ

વિદ્યાર્થિના આપઘાતથી શિક્ષણજગત સ્તબ્ધ
ગુજરાતના પાટનગરમાં આવેલી પ્રતિષ્ઠિત જે.એમ. ચૌધરી કોલેજમાં એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહીને F.Y. B.A.માં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિની શિવાની ભોજાભાઈ આહીરે કોલેજના જ એક ક્લાસરૂમમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.
સમગ્ર ઘટનાક્રમ:
મૂળ રાધનપુરના સાનિયાતર ગામની વતની શિવાની 21 જાન્યુઆરીની સાંજે હોસ્ટેલમાંથી રહસ્યમય રીતે ગુમ થઈ હતી. મોડી રાત સુધી તેની કોઈ ભાળ ન મળતા હોસ્ટેલ સત્તાધીશો અને સિક્યુરિટી સ્ટાફે કેમ્પસમાં શોધખોળ આદરી હતી અને તેના પરિવારને જાણ કરી હતી. પોલીસ અને પરિવારે આખી રાત શોધખોળ કર્યા બાદ, અંતે શિવાનીનો મૃતદેહ કોલેજના જ એક ક્લાસરૂમમાં દુપટ્ટા વડે લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
આત્મહત્યા પાછળનું સંભવિત કારણ:
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શિવાનીની કોલેજ પરીક્ષાઓ આજથી (22 જાન્યુઆરી) શરૂ થવાની હતી. એવી આશંકા સેવાઈ રહી છે કે પરીક્ષાના અતિશય દબાણ અથવા માનસિક તણાવને કારણે તેણે આ અંતિમ પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, સેક્ટર-7 પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વિદ્યાર્થિનીના મોબાઈલ અને અન્ય દસ્તાવેજોની તપાસ હાથ ધરી છે જેથી સત્ય બહાર આવી શકે.
આ ઘટનાએ ફરી એકવાર વિદ્યાર્થીઓમાં વધતા જતા માનસિક તણાવ અને પરીક્ષાના ભાર સામે લાલબત્તી ધરી છે. આશાસ્પદ દીકરીના મોતના સમાચાર મળતા જ રાધનપુરમાં રહેતા તેના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.