સુરતમાં આગ લાગતા પરિવાર ફસાયો 4નું રેસ્ક્યૂ
સુરતમાં વહેલી સવારે આગમાં ફસાયેલા પરિવારના 4 સભ્યોને ફાયરના જવાનોએ કર્યું રેસ્ક્યૂ

સુરતમાં આગ

સુરતમાં આગ
સુરતના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલા વૈષ્ણોદેવી બ્લૂ બિલ્સ એપાર્ટમેન્ટની B બિલ્ડિંગમાં આવેલી ત્રીજા માળના ફ્લેટ નં. 302માં આજે સવારે લગભગ 3:26 વાગ્યે આગ ભભૂકી હતી. 48 વર્ષીય વિનોદભાઈ પટેલ તેમની પત્ની અને 2 પુત્રો સાથે ફ્લેટમાં રહે છે. આગ કિચનમાંથી શોર્ટસર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે.
આગ ફેલાતા આખો ફ્લેટ ધુમાડાથી ઘેરાઈ ગયો અને પરિવાર ઘરના મુખ્ય દ્વારથી બહાર ન નીકળી શક્યો. પરિણામે ચારેય સભ્યો ગેલેરી તરફ દોડી ગયા જ્યાં તેઓ ફસાઈ ગયા. ફાયર વિભાગને મળેલી જાણના આધારે ત્રણ ફાયર સ્ટેશન મોરાભાગળ, પાલનપુર અને અડાજણની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. ગંભીરતાને ધ્યાનમાં લઈ અડાજણથી હાઈડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલાયું.
ફ્લેટ નંબર 302ની પાછળની સાઇડથી ફાયર એન્જિન પોઝિશન કરાયું અને 35 ફૂટના લેડર વડે રેસ્ક્યૂ કરવામાં આવ્યું. ફાયરના જવાનોએ વિનોદભાઈ પટેલ, તેમની પત્ની માયાબેન, પુત્ર નંદન અને કશ્યપને સહીસલામત ત્રીજા માળથી નીચે ઉતાર્યા. ત્યારબાદ આગને કાબૂમાં લેવા માટે પાણીનો મારો ચલાવાયો.
ઘટનાસ્થળે દોઢ કલાક સુધી ચલેલી કાર્યવાહી બાદ આગ સંપૂર્ણપણે ઓલવવામાં આવી. આગમાં રસોડું, હોલ અને ફર્નિચર સહિતનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટના દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી, અને તમામને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલીને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
ફાયર ઓફિસર ધવલ મોહિતેએ જણાવ્યું કે, આગના કારણે મુખ્ય પ્રવેશદ્વાર સંપૂર્ણ અવરોધિત થઈ ગયો હતો, તેથી રેસ્ક્યૂ પાછળથી કરવું પડ્યું. ફ્રિજમાંથી શોર્ટસર્કિટ થયાની સંભાવના છે, જેના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!