સેવન્થ ડે સ્કૂલ: સ્ટાફને છૂટા કરવાનો DEOનો આદેશ
સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ DEOએ સ્કૂલના આચાર્ય અને સ્ટાફને છૂટા કરવાનો આદેશ
સેવન્થ ડે સ્કૂલ
સેવન્થ ડે સ્કૂલ
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ-10ના વિદ્યાર્થીની હત્યાના ગંભીર કેસમાં સ્કૂલ મેનેજમેન્ટની બેદરકારી સામે આવતા અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. DEOએ સ્કૂલ મેનેજમેન્ટને તાત્કાલિક આચાર્ય અને આ ઘટના માટે જવાબદાર સ્ટાફને છૂટા કરવાનો આદેશ આપ્યો છે.
આ સાથે, DEOએ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પુણેથી મોકલવામાં આવેલો ખુલાસો અમાન્ય રાખીને તેને યોગ્ય રીતે રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ ઘટના બાદ સ્કૂલની માન્યતા રદ્દ કરવા અને સરકારી NOC રદ કરવા મુદ્દે DEOએ અગાઉ શો કોઝ નોટિસ પાઠવી હતી. તેના જવાબમાં, પુણે સ્થિત સેવન્થ ડે એડવેન્ટિસ્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રતિનિધિઓ ખુલાસો કરવા માટે અમદાવાદ આવ્યા હતા.
જોકે, તેમનો ખુલાસો DEO દ્વારા સ્વીકારવામાં આવ્યો ન હતો અને તેમને સ્કૂલના સત્તાવાર લેટરપેડ પર યોગ્ય રીતે ખુલાસો રજૂ કરવા જણાવ્યું હતું. આ દરમિયાન, ક્રાઈમ બ્રાચની તપાસમાં આચાર્ય અને અન્ય સ્ટાફની ગંભીર બેદરકારી સામે આવી હતી, જેના કારણે આચાર્ય, સિક્યોરિટી ગાર્ડ અને એડમિનિસ્ટ્રેશન સ્ટાફ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. આ બાબતને ધ્યાનમાં લઈને DEOએ તાત્કાલિક અસરથી આચાર્ય, વહીવટી વડા અને જવાબદાર સ્ટાફને બરતરફ કરવાનો આદેશ આપ્યો છે.
આ ગમખ્વાર ઘટના બાદ વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. 70 જેટલા વાલીઓએ તેમના બાળકોનો પ્રવેશ સેવન્થ ડે સ્કૂલમાંથી રદ્દ કરાવીને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર કરાવવા માટે પૂછપરછ શરૂ કરી છે. આ વાલીઓને મદદ કરવા માટે DEO દ્વારા સ્કૂલ ખાતે 4 અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ LC અને ફી રિફંડ જેવી બાબતોમાં વાલીઓને સહાય કરશે.
હાલમાં, આશરે 9 હજાર વિદ્યાર્થીઓ આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે, પરંતુ વાલીઓમાં વધતા રોષને કારણે આગામી સમયમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ રદ્દ કરાવે તેવી શક્યતા છે. બીજી તરફ, ABVPના કાર્યકરોએ પણ DEO કચેરીએ હંગામો કરીને સ્કૂલની માન્યતા રદ્દ કરવાની ઉગ્ર માંગણી કરી હતી.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.