6 માસ પહેલા ખુલ્લો મુકાયેલો અને 17 કરોડના ખર્ચે બનેલો પુલ છે.
પ્રથમ વરસાદમાં જ પુલના બંને સાઈડના સેફટી રેલીંગ નીચેની જમીન બેસી જતાં રેલીંગ હવામાં અધ્ધરતાલ : પુલ પર પરિવહન અટકાવી રેપરીંગ કામ હાથ ધરવા માંગ કરી હતી.
લીંબડી અને લખતર હાઇવ પર શિયાની ગામ નજીક ભોગાવો નદી પર છ માસ પહેલા જ અંદાજે 17 કરોડના ખર્ચે તૈયાર થયેલા પુલને હજુ હમણાં જ પરિવહન માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. પહેલા ભારે વરસાદ બાદ પુલ પર પેચીંગ વર્ક, પેવરકામ પર મોટી તિરાડો સાથે ગાબડા પડતા આ પરથી પસાર થતા વાહન ચાલકોને જાણે દિવસે દિવસે વાહનો માટે જોખમી બનતો જાય છે.
શિયાણી ગામના સરપંચ દર્શન ભાઈએ જણાવ્યું હતું, કે શિયાણી વચ્ચે ભોગાવો નદી પર અગાઉ ક્રોઝવે હતો. દર વર્ષે ચોમાસામાં ઉપર વાસમાં ભારે વરસાદ પડતા અવાર નવાર ક્રોઝવે પર પુર આવતા નળકાંઠાના 17 ગામડાઓમાંથી તાલુકા મથકથી વિખુટા પડી જતાં ચાર પાંચ દિવસ સંપર્ક વિહોણા બનતા હતા. જેને લઈને રાજ્ય સરકારે નળકાંઠાના ગામડાઓને લઈ આ પુલ અંદાજે 17 કરોડ રૂપિયાની ગ્રાન્ડ ફાળવી હતી. પુલ બનાવવામાં નબળી કામગીરી અને પુલના બાંધકામમાં ભ્રષ્ટાચારનો ભોરીંગ આભડી ગયાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે.
પુલની સાઈડમાં દીવાલોમાં મોટી તિરાડો જોવા મળી રહી છે. પુલ પર નબળી પેચ વર્ક કામગીરીના કારણે પેવરકામમાં મોટી તિરાડો અને મસમોટા ગાબડાઓ પડી ગયા છે. જેના કારણે રસ્તાની બંને સાઈડ સેફટી રેલીંગ જમીન પર બેસી જતા હવામાં અધ્ધરતાલ લટકી રહી છે. પ્રાથમિક દ્રષ્ટીએ મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું સ્પષ્ટ નજરે પડે છે. પુલ અને રસ્તાના ધારા ધોરણ મુજબ રસ્તાના નિર્માણ બાદ વર્ષો સુધી જોએ કામમાં નુકસાન થાય તેને રેપરીંગ અને નવીનીકારણ કોન્ટ્રાકટરની જવાબદારીમાં આવતું હોય છે. પુલનું જેવું તેવું કામ પત્યું કે કામ કરનાર એજન્સી કે જવાબદાર કર્મચારીઓ હજુ સુધી તે જગ્યા ફરક્યા નથી. પરંતુ પુલ પર થઈ રહેલી જોખમી સ્થિતિ અંગેની માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે. હજુ સુધી કોઈ અધિકારીએ પુલની સ્થિતિ જાણવા માટે મુલાકાત લીધી નથી. વહેલાના પહેલા ધોરણે જો આ પુલનું રીપેરીંગ કામ નહી કરવામાં આવે તો આ પુલ પણ પાદરાના ગંભીર બ્રીજની જેમ જ દુર્ઘટના સર્જાવાની ગામ લોકોને સંભાવના રહેલી છે.