અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ફરી એક વાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. અમરાઈવાડીના વઢીયારીનગરમાં આ ઘટના બની હોવાની માહિતી સામે આવી છે. અસામાજિક તત્વોએ છરી,તલવાર અને લાકડી સાથે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો. ઘરની અંદર અને વાહનોમાં તોડફોડ કરી હતી.
અમરાઈવાડીમાં છરી-તલવાર અને લાકડી સાથે ઘરમાં ઘૂસી તોડફોડ કરી :
અમરાઈવાડીમાં લાંબા સમય બાદ ફરી અસામાજિક તત્વોનો હુમલો કરી લોકોમાં ગભરાહટ ફેલાયો હતો.સામાન્ય બોલાચાલી બાદ હુમલો અને તોડફોડ કરવામાં આવી હતી. ઘરમાં અને વાહનોમાં નુકશાન પહોંચાડ્યું હતું. અમરાઈવાડી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં પાંચથી દસ લોકોનું ટોળું હથિયાર સાથે દેખાયું હતું.
અમરાઈવાડીમાં વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક :
અમરાઈવાડીમાં સામાન્ય બોલચાલી બાદ અસામાજિક તત્વોએ સોસાયટી માથે લીધી હતી.તલવારો અને લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. પોલીસ આવા અસામાજિક તત્વોને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી બન્યું છે. હુમલાખોરોએ ઈલેક્ટ્રિક મીટર, ઘરનો દરવાજો, બાઈક સહિત અનેક વાહનોને નુકસાન પહોંચાડ્યું છે. આરોપી ટુંક સમયમાં પોલીસની પકડમાં આવી જશે તેવો પોલીસનો દાવો છે.
અમદાવાદમાં દીકરાના જન્મ દિવસે જ પિતાની હત્યા:
ખોખરની સંજીવની હોસ્પિટલ બહાર હત્યાનો બનાવ બન્યો છે. રવિ ખાટિકની તેના ત્રણ મિત્રોએ નિપજાવી હત્યા અને હાર્દિક, નિખિલ અને સાગરે કરી રવિની હત્યા, હત્યાને અંજામ આપી ત્રણેય આરોપીઓ ફરાર થયા છે. ખોખરા પોલીસ હત્યાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
મૃતક અને આરોપી અગાઉ ગાડી લે વેચનો ધંધો સાથે કરતાં હતા અને તે બાબતે કોઈ અંગત અદાવતમાં આ હત્યા થઈ હોવાની વાત સામે આવી છે. ઈજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.