અમરેલી-જાફરાબાદ: સિંહોના મોત, વન વિભાગ પર સવાલો
ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મૂળું બેરાને પત્ર લખીને વન વિભાગ સામે સવાલો ઉઠાવ્યા
સીડીવી,બેબેસિયા નામનો ગંભીર રોગના કારણે કુલ 165 સિંહોના મોત થયા હતા
સીડીવી,બેબેસિયા નામનો ગંભીર રોગના કારણે કુલ 165 સિંહોના મોત થયા હતા
અમરેલી અને જાફરાબાદમાં સિંહોના સતત થતાં મોતના બનાવને રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મૂળું બેરાને પત્ર લખીને ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમને વન વિભાગના અધિકારીની બેદરકારી અને તેમની કાળજીને સિંહોના મોત માટે જવાબદાર ઠેરાવ્યા છે. અને તાત્કાલિક આ પગલે કોઈ કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી છે.
ધારાસભ્યએ પત્રમાં લખ્યું હતું, કે છેલ્લા બે મહિનાથી 'પાલિતાણા શત્રુંજી ડિવિઝન અને ધારી ગીર પૂર્વે ડિવિઝનમાં સિંહોનો મૃત્યુનો આંકડો સતત વધતો જોવા મળી રહ્યો છે. પત્રમાં તેમણે પ્રશ્ન કર્યો છે. કે જો સિંહના મૃત્યુ વાયરસના કારણે થતાં હોય તો અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે કેમ આવી ઘટના સમયસર ધ્યાનમાં આવતી નાથી ? તેવો પ્રશ્ન કર્યો હતો.
ધારાસભ્યએ સ્પષ્ટ કહ્યું હતું, કે વનવિભાગ દ્વારા અધિકારીઓ સિંહ બાબતની તપાસ તે સમયે થઈ હોત તો મૃત્યુ અટકાવી શક્યા હોત આ સમગ્ર કામમાં અધિકારીઓની ભૂલ અને અણઆવડતના કારણે સિંહોના મૃત્યુ થતું હોવાનું જાણવા મળ્યું હતું.
ધારાસભ્યે સિંહોના પીવાના પાણીની વ્યવસ્થાના અભાવના કારણે પણ તેમને ચિંતા વ્યક્ત કરી હતી. સિંહો માટે પીવાના પાણીએ અગત્યનો વિષય છે. કોઈ યોગ્ય વ્યવસ્થા પણ જોવા મળતી નથી. ચેતવણી પણ આવી હતી કે સિંહોમાં કોઈ વાયરસ ફેલાતો હોય અને મૃત્યુ આંક વધતું હોય તો તેને અટકાયત માટે કાર્યવાહી હાથ ધરવા જોઈએ.
ધારાસભ્યએ પત્રમાં દીપડાના હિંસક હુમલામાં ત્રણ અપમૃત્યુનો ઉલ્લેખ કર્યો હતો. આ બનાવ પણ વન વિભાગની બેદરકારીના કારણે બન્યું હોય તેવું જણાવ્યું હતું.
આ સમગ્ર ઘટનાને મામલે વનવિભાગ કોઈ કાળજી લે તેના માટે ધારાસભ્યએ લેખિતમાં રજૂઆત કરી હતી. વનમંત્રીનું ધ્યાન તાત્કાલિક પડે અને કોઈ યોગ્ય પગલા લે તેવી માંગ પણ કરી હતી. આ સમગ્ર મામલે સિંહોના સંરક્ષણ અને વન્યજીવન વ્યવસ્થાપન પર અનેકો ગંભીર સવાલો પણ થયા હતા.
વર્ષ 2024માં સૌથી વધુ સિંહના મોત થયા હતા. માર્ચ મહિનામાં વિધાનસભાના સત્રમાં વનમંત્રીએ સિંહોના આંકડા જાહેર કર્યા હતા. જે આંકડામાં વર્ષ 2024 થી અત્યાર સુધીમાં સૌથી વધુ સિંહોના મોત થયા હતા. પરંતુ સીડીવી અને બેબેસિયા નામનો ગંભીર રોગ હતો ત્યારે કુલ 165 સિંહોના મોત થયા હતા. પરંતુ છેલ્લા ઘણા વર્ષોમાં સિંહોના વધારે પડતાં મોતના આંકડાએ સરકારને અને વન વિભાગને ચોંકાવી દીધું હતું.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.