Ahmedabad: સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં બીજું અંગદાન!
પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપૂરના રહેવાસી ગોપાલિબેન બિષ્વાસના અંગદાનથી એક લીવર અને બે કિડની તેમજ બે આંખનું દાન મળ્યું છે.

આજ દિન સુધી 629 જેટલા લોકોને નવી જિંદગી બક્ષી શક્યા છીએ.

આજ દિન સુધી 629 જેટલા લોકોને નવી જિંદગી બક્ષી શક્યા છીએ.
એક અઠવાડિયામાં થયું બીજું અંગદાન અમદાવાદમાં આ સાથે સિવિલ હોસ્પિટલમાં આજદિન સુધીમાં કુલ 198 અંગદાન થયા છે. પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપૂરના રહેવાસી ગોપાલિબેન બિષ્વાસના અંગદાનથી એક લીવર અને બે કિડની તેમજ બે આંખનું દાન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની યાત્રા અવિરતપણે આગળ વધી રહી છે.અંગદાન થકી જરૂરિયાતમંદને નવ જીવનની દિશામાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના કર્મીઓ નિષ્ઠાપૂર્ણ કામગીરી કરી રહ્યા છે.તા.29 જૂનના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 198મું અંગદાન થયું છે.આ અંગે વધુ માહિતી આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યું હતું.કે પશ્ચિમ બંગાળના ઉતર દિનાજ્પુરના રહેવાસી ગોપાલિબેન બિષ્વાસને હ્રદયની તકલીફ હતી.જેની સારવાર માટે રતલામ જે.ડી. હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
જ્યાં તા.23મે ના રોજ વધુ તબિયત બગડતા સિટી સ્કેન કરાવતા મગજમાં હેમરેજ થયું હોવાનું માલૂમ પડ્યું હતું.ત્યારબાદ તેમને તા.25જૂનના રોજ વધુ સારવાર અર્થે પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા.અહી લગભગ 72થી વધુ કલાકોની સઘન સારવારના અંતે તેમને હોસ્પિટલના તબીબો દ્વારા તા.28જુનના રોજ બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને બ્રેઇન ડેડ પરીસ્થિતિ અને અંગદાન વિશે કાઉન્સેલિંગ કરતા સિવિલ હોસ્પિટલ માં હાજર તેમના પુત્ર અશોકભાઇએ માતા ગોપાલિબેન બિષ્વાસના અંગોનું દાન કરવા સંમતિ આપી હતી.બ્રેઇનડેડ ગોપાલિબેન બિષ્વાસના અંગદાનથી મળેલ એક લીવર તેમજ બે કીડનીને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા.બે આંખોનું પણ દાન મળેલ જેને એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી હતી.
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૧૯૮ અંગદાતાઓ થકી કુલ 648 અંગોનું દાન મળેલ છે. જેમાં લીવર -173,કિડની -360,સ્વાદુપિંડ-13,હ્રદય-62,ફેફસા- 32,હાથ-6,નાના આંતરડા-2 નો સમાવેશ થાય છે.આ ઉપરાંત સિવિલ હોસ્પીટલ સ્કીન બેંક ને અત્યાર સુધી માં 21 જેટલી ચામડીનું પણ દાન મળ્યુ છે.
ડૉ.જોષીએ કહ્યું હતું કે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં થયેલ 198માં અંગદાન સાથે આજ દિન સુધી 629 જેટલા લોકોને નવી જિંદગી આપણે બક્ષી શક્યા છીએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!