અમદાવાદમાં સાબરમતીમાં પાણીની આવક, હાઈ એલર્ટ
ધરોઈ ડેમમાં પાણીની આવક વધતાં સાબરમતી હાઈએલર્ટ પર, વાસણા બેરેજમાંથી પાણી છોડાયું
સાબરમતીમાં પાણીની આવક
સાબરમતીમાં પાણીની આવક
ઉત્તર ગુજરાતમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. આને ધ્યાનમાં રાખીને, સાબરમતી નદીને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. આજના દિવસે, ધરોઈ ડેમનું જળસ્તર 188.18 મીટર પર પહોંચ્યું છે, જેમાં ડેમની 82.62% સંગ્રહ ક્ષમતા ભરાઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં ધરોઈ ડેમમાંથી છોડવામાં આવતા પાણીના જથ્થા અને હાલ સુભાષબ્રિજ પાસેના નદીના જળસ્તરને કારણે અમદાવાદ અને નદી કિનારાના વિસ્તારોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે. સાબરમતી નદીના ઉપરવાસમાં આવેલા સંત સરોવરમાંથી હાલ 96,234 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે.
આ ઉપરાંત, વાસણા બેરેજમાંથી પણ હાલ 94,056 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેમાં હજુ વધારો થવાની શક્યતા છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને, નદીકાંઠાના વિસ્તારો અને ગામડાઓને સાવચેતી રાખવા માટે એલર્ટ આપવામાં આવ્યું છે અને સંબંધિત અધિકારીઓને સલામતીના જરૂરી પગલાં લેવા માટે સૂચન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 27.50 ઈંચ વરસાદ સાથે કુલ 80% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાજ્યના 37 તાલુકાઓમાં 40 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ વરસાદને કારણે જળાશયોમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ 78.82% પાણીનો સંગ્રહ થયો છે, જેમાં 59 જળાશયો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને 78 જળાશયો હાઈએલર્ટ પર છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.