અમદાવાદ: ઈન્ડિગો ફ્લાઈટમાં આગ, મોટી દુર્ઘટના ટળી
પાયલોટને આગની જાણ થતા જ તુરંત એટીસીને 'મેડે' કોલ કર્યો હતો

ઈન્ડીગો ફ્લાઈટ

ઈન્ડીગો ફ્લાઈટ
અમદાવાદ એરપોર્ટ ફરી એક વાર ફ્લાઈટની મોટી દુર્ઘટના ટળી છે. અમદાવાદ થી દીવ ટેકઓફ કરવાની તૈયારી કરી રહી હતી ત્યારે ઈન્ડીગોની ફ્લાઈટમાં અચાનક આગ લાગી ગઈ હતી. ફ્લાઈટમાં કુલ 60 પ્રવાસીયો સવાર હતા. પાયલોટને આગની જાણ થતા જ તુરંત એટીસીને 'મેડે'કોલ કર્યો હતો. તાત્કાલિક ધોરણે પ્લેનને ટેકઓફ કરતુ અટકાવી દીધું હતું. ઘટનાની જાણ થતા જ તમામ પ્રવાસીઓને સુરક્ષિત નીચે ઉતારી લેવાયા છે અને ફ્લાઈટ કેન્સલ કરી દેવાઈ છે.
આજે અમદાવાદથી દીવ જતી ઈન્ડીગોની ફ્લાઈટ નંબર 7966 ટેકનીકલ ખામીને કારણે રદ કરવામાં આવી હતી, જેના પગલે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આજે સવારે 11:15 વાગ્યે અમદાવાદથી ટેકઓફ થનારી આ બોઇંગ ફ્લાઈટમાં રનવે પર જ ટેકનીકલ ખામી સર્જાઈ હતી. ખામી જણાતા ફ્લાઈટને તાત્કાલિક રનવે પરથી પરત લેવામાં આવી હતી.
પાયલટની સમયસૂચકતાના કારણે ફ્લાઈટના તમામ પ્રવાસીઓ સુરક્ષિત છે. મુસાફરોને ફ્લાઈટમાંથી સુરક્ષિત નીચે ઉતારાયા છે. ઈન્ડીગોના પ્રવક્તા જાણવા મળ્યું છે. કે 'પાયલટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરનું પાલન કરીને અધિકારીઓને માહિતી આપી હતી. અને પ્લેનને ફરી 'બે' માં મોકલી દેવામાં આવ્યું છે. પ્લેનને ઓપરેશનમાં લાવ્યા પહેલા તમામ તપાસ અને મેન્ટેન્સ કરવામાં આવશે.
મુસાફરોને અન્ય ફ્લાઈટમાં રવાના કરાયા હતા. અને ફૂલ રીફંડની પણ ઓફર આપી હતી. ઈન્ડીગો એરલાઇન્સે અસુવિધા બદલ મુસાફરોની માફી માંગી છે. અને એરલાઇન્સ દ્વારા તમામ મુસાફરોને સુવિધા પૂરી પાડી અન્ય ફ્લાઈટમાં રવાના કરવામાં આવ્યા છે. કંપની દ્વારા ફુલ રીફંડની પણ ઓફર કરી છે. આ પેહલા પણ 21 જુલાઈના રોજ ગોવાથી ઈન્દોર જઈ રહેલી ઈન્ડીગોની ફ્લાઈટમાં પણ આવી ટેકનિકલ ખામી જોવા મળી હતી. જોકે પાયલોટે ફ્લાઈટને સુરક્ષિત લેન્ડ કર્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!