Ahmedabad: મહોરમની ઉજવણીમાં 91 તાજિયા, 21 અખાડા સાથે ભવ્ય જુલૂસ નિકળશે!
ઈસ્લામ ધર્મના કેલેન્ડર અનુસાર વર્ષનો પહેલો મહિનો મહોરમ તરીકે ઓળખાવામાં આવે છે.

ટ્રાફિકને અનુસંધાનમાં બપોરના 2 વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધીમાં 21 જેટલા રોડ બંધ કરવામાં આવશે

ટ્રાફિકને અનુસંધાનમાં બપોરના 2 વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધીમાં 21 જેટલા રોડ બંધ કરવામાં આવશે
આજે મહોરમ છે.મુસ્લિમ સમુદાયના લોકો આ તહેવાર મનાવે છે. મુસ્લિમ સમુદાયના લોકો મહોરમમાં તાજિયાના જુલૂસ નીકાળે છે. આ વર્ષે જુલૂસમાં 91 તાજિયા, 21 અખાડા, 73 ઢોલ,તાસા,છેય્યમ પાર્ટીઓ,20 લાઉડ સ્પીકર, 14 અલમ નિશાન પાર્ટીઓ,10 માતમી દસ્તાઓ, 24 ટ્રક, 10 મીની ટ્રક-ઊંટગાડી અને ભવ્ય માતમ સમૂહો જોડાય છે.
ઈસ્લામ ધર્મના કેલેન્ડર અનુસાર વર્ષનો પહેલો મહિનો મહોરમ તરીકે ઓળખાવામાં આવે છે.હઝરત ઈમામ હુસૈન કરબલામાં માનવતાના મૂલ્યો માટે બલિદાન આપ્યું હતું. તેમની યાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા તાજીયા જુલૂસ કાઢીને શોક મનાવવામાં આવે છે.શનિવારે કતલની રાત હતી. તાજીયા કમિટી ચેરમેન પરવેઝ જે.વી મોનીએ જણાવ્યું હતું.કે મન્નતના તાજિયાનો સમય સવારે 7થી 1 વાગ્યા સુધી નીકળવાના રહેશે.91 તાજીયા બપોરના ચાર વાગ્યાથી અનેક વિસ્તારોમાંથી જુલૂસ સ્વરૂપમાં આગળ વધતાં મુખ્ય રોડ પર આવશે. ખાનપૂર દરવાજા પાસે બનાવેલ તાજીયાને કુંડમાં ઠંડા કરવામાં આવશે. તાજીયા ત્યાં દફન નહીં થાય જેમની પાસે તાજીયા રાખવાની વ્યવસ્થા છે. તે તમામ લોકો રોડ પરથી પોતાના તાજીયા પરત લઈ જશે.
શહેરમાં 21 જેટલા રોડ બપોરે થી રાત સુધી બંધ રાહશે :
આજે મહોરમ હોવાથી તાજીયાના જુલૂસના કારણે શહેરના દિલ્હી ચકલા, મિર્ઝાપુર, રીલીફ રોડ વિસ્તારોમાં ટ્રાફિકને અનુસંધાનમાં બપોરના 2 વાગ્યાથી રાતના બાર વાગ્યા સુધીમાં 21 જેટલા રોડ બંધ કરવામાં આવશે.અમદાવાદના એલીસબ્રીજ,નેહરુબ્રીજ અને સરદાર બ્રીજથી પૂર્વના વિસ્તારમાં પ્રવેશ બંધ કરવામાં આવતો હોવાથી અન્ય વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો તેવી સૂચના ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!