ગંભીરા બ્રિજ દુર્ઘટના પછી વડોદરાના તમામ બ્રિજની સ્ટ્રક્ચરલ ચકાસણીના આદેશ
ગંભીરા પુલ ધરાશાયી થતાં વડોદરામાં તમામ 43 બ્રિજના મજબૂતીના તપાસના આદેશ આપ્યા

વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન

વડોદરા મ્યુન્સિપલ કોર્પોરેશન
અત્યારના વડોદરા શહેરમાં ગંભીરા પુલ ધરાશાયી થયા પછી તંત્રને હચમચાવી દીધું છે. મહીસાગર નદી પર આવેલો વર્ષ 1985નો બ્રિજ બુધવારે સવારે અચાનક તૂટી પડતાં અનેક વાહનો, ટ્રક, ઈકો કાર, રિક્ષા નદીમાં ખાબકી ગયા હતા અને 13 જેટલાં નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે. આ ઘટનાને પગલે વડોદરા મ્યુનિસિપલ કમિશનરે શહેરમાં આવેલા તમામ પુલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી (મજબૂતાઈ) તપાસવા તાત્કાલિક આદેશ આપ્યો છે.
વડોદરા શહેરમાં હાલ કુલ 43 પુલ છે જેમાં 13 રેલવે ઓવરબ્રિજ, 4 ફ્લાયઓવર, 24 નદી પરના પુલ ઉપરાંત કમાટીબાગ અને જાંબુવા વિસ્તારમાં ગાયકવાડી શાસન દરમિયાન બનેલા 2 જુના પુલોનો સમાવેશ થાય છે. તંત્રે અગાઉ ચોમાસા પૂર્વે ડિઝાઈન સલાહકારની નિમણૂક કરીને સર્વે કરાવ્યો હતો જેમાં જણાવાયું હતું કે, બધા પુલ સલામત છે. પરંતુ હવે ગંભીરા પુલ ઘટનાને પગલે એ રિપોર્ટ ઉપર પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે.
તંત્રે સલાહકારોની નવી ટીમો દ્વારા તમામ પુલોની સ્થિતિની ફરીથી તપાસ શરૂ કરી છે. ખાસ કરીને જે પુલમાં નાની મોટી તકલીફો છે તેમાં તબક્કાવાર રિપેર અને મરમત શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કલાઘોડા પુલ પર પણ સિવિલ વર્ક શરૂ કરાયું છે. બીજી તરફ, કમાટીબાગ પુલ હાલ વાહનવ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે અને જાંબુવા પુલ માત્ર પગપાળા જતા લોકો માટે ખુલ્લો છે.
આ ઘટના બાદ ફરી એકવાર શહેરના પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. મ્યુનિસિપલ કમિશનરે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરીને સલાહકારોના સહયોગથી દરેક પુલની સખત તપાસ શરૂ કરવાની સૂચના આપી છે જેથી આવી દુર્ઘટનાઓ પુનઃ ન બનવી પડે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!