ધરોઈ ડેમમાં પાણીની આવક વધતાં 6 જિલ્લા એલર્ટ કરાયાં
પાણીની આવક યથાવત રહે તો સાબરમતી નદીમાં પાણી છોડવાની શક્યતાએ સાવચેત રહેવા અપીલ

મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના કલેક્ટરોને આપી સૂચના

મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના કલેક્ટરોને આપી સૂચના
ઉત્તર ગુજરાતમાં શનિવારે મોડી રાતથી ધોધમાર વરસાદ શરૂ થયો છે. ધરોઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રવિવાર સવારથી પાણીની આવક વધી હતી. ડેમમાં 82 ટકા પાણીનો જથ્થો હોવાથી પાણીની આવક યથાવત રહે તો સાબરમતી નદીમાં પાણી છોડવાની શક્યતા છે. તેથી ધરોઈ ડેમના તંત્રએ 6 જિલ્લાના કલેક્ટરોને એલર્ટ મેસેજ આપીને નાગરિકોને સાવચેત કરવા અપીલ છે.
રાજસ્થાન તેમજ સાબરકાંઠા જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. ધરોઈ ડેમમાં રવિવારે(27 જુલાઈ) સવારે 8 કલાકે 46 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી હતી. તેથી ડેમની જળસપાટી 617 ફૂટે પહોંચી છે.
ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટની સામે 82 ટકા ભરાઈ જતાં પાણીનું લેવલ જાળવી રાખવા ગમે ત્યારે ડેમના દરવાજા ખોલવાની શક્યતા છે. ધરોઈ ડેમના દરવાજા ખોલીને સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે તો તેના હેઠવાસમાં આવેલા 6 જિલ્લાને અસર થાય છે.
ધરોઈ ડેમના તંત્રએ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના કલેક્ટરોને એલર્ટ કરીને નાગરિકોને સાવચેત કરવા અપીલ કરી છે. સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવે તો નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતાએ કોઈ ઘટના ન બને તે માટે નદી કાંઠાના લોકોને નદીમાં અવર જવર નહી કરવા વિનંતી કરવામાં આવી છે.
સાબરમતી નદીમાં પાણી છોડવાની શક્યતાએ મહેસાણા જિલ્લાના સતલાસણા, ખેરાલુ અને વિજાપુર તાલુકાના નદી કાંઠાના 27 ગામોને એલર્ટ કરાયા છે. તેવી જ રીતે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લાના નદી કાંઠાના ગામોને સાવચેત રહેવા વિનંતી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, શનિવારે રાત્રે 10 થી રવિવારે સવારે 8 વાગ્યા સુધીમાં સતલાસણા ચાર, ખેરાલુમાં ત્રણ, ઊંઝામાં સવા બે, વિસનગરમાં ચાર, વડનગરમાં ત્રણ, વિજાપુરમાં પોણા બે, મહેસાણામાં ચાર, બહુચરાજીમાં એક, કડીમાં દોઢ અને જોટાણામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!