વિજયની ફિલ્મ જન નાયગનની રિલીઝ પાછી ઠેલવામાં આવી
સેન્સર બોર્ડ સાથેના વિવાદ અને હાઈકોર્ટના સ્ટે બાદ જન નાયગનની રિલીઝ ડેટ મોકૂફ રખાઈ

જન નાયગન

જન નાયગન
દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર થલાપતિ વિજયના ચાહકો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. તેમની બહુપ્રતિક્ષિત ફિલ્મ જન નાયગન જે 9 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં આવવાની હતી, તેની રિલીઝ હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે. આ માહિતી ફિલ્મનું નિર્માણ કરી રહેલા KVN પ્રોડક્શન્સે સત્તાવાર રીતે આપી છે.
સેન્સર સર્ટિફિકેટનો પેચ ફસાયો :
ફિલ્મ મોકૂફ રાખવાનું મુખ્ય કારણ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી સર્ટિફિકેટ મળવામાં થયેલો વિલંબ છે. ફિલ્મને ગત ડિસેમ્બરમાં જ સર્ટિફિકેશન માટે મોકલવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક ધાર્મિક લાગણીઓ અને સેનાના નિરૂપણ સામે વાંધો ઉઠાવતી ફરિયાદો બોર્ડને મળી હતી. આ મામલો વધુ ગૂંચવાતા રિવિઝન કમિટી પાસે ગયો અને અંતે મદ્રાસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. હાલમાં કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હોવાથી નિર્માતાઓએ રિલીઝ લંબાવવાનો નિર્ણય લીધો છે.
રાજકારણમાં પ્રવેશ પહેલાની છેલ્લી ફિલ્મ :
થલાપતિ વિજયે અગાઉ જ જાહેરાત કરી દીધી છે કે 'જન નાયગન' તેમના અભિનય કરિયરની અંતિમ ફિલ્મ હશે. તેમણે પોતાની રાજકીય પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK) પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે 33 વર્ષના શાનદાર કરિયરને વિરામ આપવાનું નક્કી કર્યું છે. આગામી તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓમાં વિજય સક્રિય ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે, તેથી આ ફિલ્મ તેમના ફેન્સ માટે ખૂબ જ ભાવુક છે.
CBFC સામે ભેદભાવના આરોપો :
આ વિવાદની સાથે જ ફિલ્મ ઉદ્યોગમાં સેન્સર બોર્ડની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. નાના અને મોટા પ્રોડક્શન હાઉસના નિર્માતાઓનો આરોપ છે કે મુંબઈ ઓફિસમાં સર્ટિફિકેટ આપવાની પ્રક્રિયા હવે વધુ જટિલ અને લાંબી થઈ ગઈ છે. જ્યાં પહેલા 15-20 દિવસમાં કામ થઈ જતું હતું ત્યાં હવે મહિનાઓનો સમય લાગે છે, જેની સીધી અસર ફિલ્મોના બિઝનેસ પર પડી રહી છે.
નિર્માતાઓએ ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ નવી રિલીઝ ડેટની જાહેરાત કરવામાં આવશે. ત્યાં સુધી પ્રેક્ષકોને ધીરજ રાખવા વિનંતી કરવામાં આવી છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ

કોર્ટથી ‘સુગર ડેડી’ વિવાદ સુધી, આખરે શું ચાલી રહ્યું છે?