ગુત્થી'ના પાત્રે સુનીલ ગ્રોવરને બનાવ્યો સ્ટાર
'ગુત્થી'ના પાત્રએ સુનીલ ગ્રોવરના જીવનને નવો વળાંક આપ્યો; ઝઘડા બાદ કપિલ સાથે અબોલા લીધા
સુનીલ ગ્રોવર
સુનીલ ગ્રોવર
સુનીલ ગ્રોવર નામ સાંભળતા જ લોકોના ચહેરા પર એક મીઠું સ્મિત આવી જાય છે. 'ગુત્થી' કે 'ડૉ. મશહુર ગુલાટી' જેવા પાત્રો ભજવીને તેણે દરેક દર્શકના દિલમાં સ્થાન બનાવ્યું છે. તેના અભિનયની ખાસિયત એ છે કે, 'ગજની' કે 'હીરોપંતી' જેવી ફિલ્મોમાં ભલે તેની ભૂમિકા થોડી મિનિટોની હોય, પણ લોકો તેને આજે પણ યાદ કરે છે.
સુનીલ ગ્રોવરનો જન્મ 3 ઓગસ્ટ, 1977ના રોજ હરિયાણાના સિરસા જિલ્લાના મંડી ડબવાલી ગામમાં થયો હતો. તેણે પંજાબ યુનિવર્સિટી, ચંડીગઢમાંથી થિયેટરમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે. સુનીલના પિતા જે.એન. ગ્રોવર સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુરમાં મેનેજર હતા અને હવે નિવૃત્ત જીવન જીવી રહ્યા છે.
કૉમેડીનો શોખ અને પહેલી તક'હ્યુમન્સ ઓફ બોમ્બે' સાથેની વાતચીતમાં સુનીલે જણાવ્યું હતું કે, તેને બાળપણથી જ અભિનય અને લોકોને હસાવવાનો શોખ હતો. કોલેજના પ્રથમ વર્ષમાં જ તેને જાણ થઈ કે જાણીતા કોમેડિયન જસપાલ ભટ્ટી એક શો માટે ઓડિશન લઈ રહ્યા છે. કોઈ પણ અપેક્ષા વગર સુનીલ ઓડિશન આપવા પહોંચી ગયો. તેના ત્રણ-ચાર પરફોર્મન્સ જોઈને જસપાલ ભટ્ટીએ તેના ફોટા પર લખ્યું, "હું તેને ક્લાર્ક પ્રકારના રોલ માટે બોલાવીશ." અહીંથી જ સુનીલની કલાકાર તરીકેની સફર શરૂ થઈ અને તેણે જસપાલ ભટ્ટી સાથે લાઇવ શો કરવાનું શરૂ કર્યું.
મુંબઈમાં સંઘર્ષ અને જીવનનો કડવો અનુભવથિયેટરમાં માસ્ટર્સ કર્યા બાદ જ્યારે સુનીલ મુંબઈ આવ્યો, ત્યારે તેને લાગ્યું કે હવે સફળતા મળવાની જ છે. શરૂઆતમાં, તે પાર્ટીઓમાં સમય પસાર કરતો હતો અને માસિક ₹500ની આવક પર નિર્ભર હતો. બાકીના ખર્ચાઓ ઘરના પૈસા અને બચતમાંથી ચાલતા હતા. ધીમે ધીમે તેને સમજાયું કે મુંબઈમાં દરેક વ્યક્તિ સ્ટ્રગલર છે. જ્યારે પૈસાનો અભાવ થયો, ત્યારે તેને કડવી વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો. આ સમયે તેને તેના પિતા યાદ આવ્યા, જેઓ રેડિયો એનાઉન્સર બનવા માંગતા હતા પણ દાદાની નારાજગીને કારણે બેંકની નોકરી લેવી પડી હતી. આ વાતથી પ્રેરિત થઈને સુનીલે પોતાના સપના છોડવાનો વિચાર છોડી દીધો અને ફરીથી કામની શોધમાં લાગી ગયો.
'ગુત્થી' અને 'ડૉ. મશહુર ગુલાટી'ની સફળતાસુનીલની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ 2013માં આવ્યો, જ્યારે તેને 'કૉમેડી નાઈટ્સ વિથ કપિલ'માં 'ગુત્થી'નો રોલ મળ્યો. આ પાત્રએ તેને ઘર-ઘરનો પ્રિય કલાકાર બનાવી દીધો. જોકે, થોડા સમય બાદ તેણે શો છોડ્યો અને પછી 'મેડ ઈન ઈન્ડિયા' શોમાં કામ કર્યું, જે બહુ ચાલ્યો નહીં. ત્યારબાદ તે ફરી કપિલ શર્મા સાથે જોડાયો અને 'ધ કપિલ શર્મા શો'માં 'ડૉ. મશહુર ગુલાટી' અને 'રિંકુ ભાભી' જેવા પાત્રો ભજવ્યા, જે આજે પણ યાદગાર છે.
2015માં એક ફેશન શોમાં તેણે મંદિરા બેદીની ડિઝાઇન કરેલી સાડી પહેરીને રેમ્પ વોક કરીને સૌને ચોંકાવી દીધા હતા. આ શોમાં તે 'ગુત્થી'ના અવતારમાં આવ્યો હતો અને સ્પોર્ટ્સ શૂઝ સાથે પિંક અને ગોલ્ડન સાડી પહેરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
કપિલ શર્મા સાથેનો વિવાદમાર્ચ 2017માં સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે એક વિવાદ થયો, જેના કારણે તેઓ ઘણા વર્ષો સુધી સાથે જોવા મળ્યા નહોતા. જોકે, કપિલ શર્માએ બાદમાં સ્પષ્ટતા કરી હતી કે મીડિયામાં આ ઘટનાને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી હતી. કપિલના કહેવા મુજબ, ઝઘડાની ઘટના બની હતી, પરંતુ જૂતા ફેંકવા જેવી વાતો ખોટી હતી અને ડિજિટલ મીડિયા દ્વારા ફેલાવવામાં આવી હતી. આ વિવાદ બાદ પણ સુનીલ તેની કલાથી લોકોનું મનોરંજન કરવાનું ચાલુ રાખ્યું છે.

કૃતિ સેનનની રક્ષાબંધન જ્વેલરી જાહેરાતમાં પાલતુ કૂતરાને રાખડી બાંધવાના દૃશ્યથી સોશિયલ મીડિયા પર વિવાદ સર્જાયો છે. નેટીઝન્સ અને કાશીના કેટલાક વિદ્વાનોએ જાહેરાતની રજૂઆત સામે સવાલો ઉઠાવ્યા છે.

રણવીર સિંહ અને ‘ડોન 3’ના નિર્માતાઓ વચ્ચે વિવાદ વકર્યો. IMPPAને દખલ ન કરવા કહ્યું. ₹45 કરોડના નુકસાનના દાવા અને ₹35 કરોડના સમાધાનની ઓફર જાણો.

કરીના કપૂર ત્રીજીવાર બનશે મા? વાયરલ વીડિયો બાદ પ્રેગ્નન્સીની ચર્ચા, ટીમે આપ્યો જવાબ