જયપુરની SMS હોસ્પિટલમાં ભીષણ આગની કરુણાંતિકા
ICUમાં શોર્ટ સર્કિટના કારણે આગની દુર્ઘટના, ઝેરી ધુમાડાથી ગુંગળામણમાં 7ના મોતની આશંકા

જયપુરની SMS હોસ્પિટલમાં ભીષણ આગ

જયપુરની SMS હોસ્પિટલમાં ભીષણ આગ
રાજસ્થાનના જયપુરમાં આવેલી સરકારી સવાઈ માન સિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUમાં વહેલી સવારે ભીષણ આગે 7 દર્દીઓનો ભોગ લીધો છે. શોર્ટ સર્કિટના કારણે સર્જાયેલી આ દુર્ઘટના બાદ હોસ્પિટલના વહીવટીતંત્ર પર ગંભીર સવાલો ઉઠ્યા છે, કારણ કે મૃતકોના પરિવારોએ ચોંકાવનારો આક્ષેપ કર્યો છે કે આગ લાગ્યાની થોડી જ વારમાં હોસ્પિટલનો સ્ટાફ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
ટ્રોમા ICU માં શોર્ટ સર્કિટ, 7 લોકોના કરુણ મોત
ટ્રોમા સેન્ટરના બીજા માળે આવેલા ICU વોર્ડમાં આગની ઘટના બની હતી. ટ્રોમા સેન્ટરના ઇન્ચાર્જ ડૉ. અનુરાગ ધાકડે જણાવ્યું હતું કે ટ્રોમા ICUમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી અને તેમાંથી ઝેરી ધુમાડો નીકળ્યો હતો. આ ICUમાં દાખલ મોટાભાગના દર્દીઓ ગંભીર હાલતમાં હતા. ટ્રોમા ICUમાં 11 અને સેમી-ICUમાં 13 સહિત કુલ 24 દર્દીઓ દાખલ હતા. આગના કારણે દસ્તાવેજો, ICU સાધનો અને બ્લડ સેમ્પલ ટ્યુબ સહિતની વસ્તુઓ બળીને ખાક થઈ ગઈ હતી.
ઝેરી ધુમાડા અને આગના કારણે 7 દર્દીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં 2 મહિલા અને 5 પુરુષોનો સમાવેશ થાય છે. ડૉક્ટરોએ તેમને CPR આપીને બચાવવાના પ્રયત્નો કર્યા, પરંતુ ગંભીર હાલતને કારણે તેમને બચાવી શકાયા નહીં. અન્ય 5 દર્દીઓની હાલત હજી પણ ગંભીર છે અને મૃતકોના આંકડા પર વધી રહ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.
પરિવારોનો આક્રોશ અને મુખ્યમંત્રીની કાર્યવાહી
આ ઘટનાના પગલે હોસ્પિટલની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને મંત્રીઓ સમક્ષ જ બે મૃતકોના પરિવારોએ આરોપ લગાવ્યો કે રાત્રે ICUમાં માત્ર એક જ સ્ટાફ મેમ્બર હતો, જે આગ લાગતાની સાથે જ ભાગી ગયો હતો. જોકે, હોસ્પિટલ સ્ટાફ અને અન્ય દર્દીઓના સગા-સંબંધીઓએ તાત્કાલિક ધોરણે દર્દીઓને ટ્રોલીમાં બહાર કાઢીને તેમની જગ્યાઓ પર ખસેડ્યા હતા.
આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દિલ્હીનો પોતાનો નિર્ધારિત પ્રવાસ રદ કર્યો છે. તેમણે ઇકબાલ ખાન, કમિશનર, મેડિકલ એજ્યુકેશન વિભાગની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિ આગના કારણો, હોસ્પિટલ મેનેજમેન્ટનો પ્રતિભાવ, અગ્નિશમન વ્યવસ્થા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટેના પગલાંની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા