ગરીબ રથમાં ટ્રેનમાં ભીષણ આગ: મુસાફરોમાં ફફડાટ
પંજાબના સરહિંદ પાસે કોચ 19માં જ્વાળાઓ: રેલવેની ત્વરિત કામગીરીથી જાનહાનિ ટળી.

ગરીબ રથમાં ટ્રેનમાં ભીષણ આગ: મુસાફરોમાં ફફડાટ

ગરીબ રથમાં ટ્રેનમાં ભીષણ આગ: મુસાફરોમાં ફફડાટ
લુધિયાણાથી દિલ્હી જઈ રહેલી અમૃતસર-સહરસા ગરીબ રથ એક્સપ્રેસ (ટ્રેન નંબર 12204)ના એક કોચમાં શનિવારે સવારે ભીષણ આગ લાગતાં પંજાબના સરહિંદ રેલવે સ્ટેશન નજીક અફરાતફરી મચી ગઈ હતી. સવારે લગભગ સાત વાગ્યાની આ ઘટનામાં એક મહિલા સહિત બે મુસાફરો સામાન્ય રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જોકે રેલવે સ્ટાફની ત્વરિત કાર્યવાહીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.
મુસાફરોમાં ગભરાટ
યાત્રીઓના જણાવ્યા અનુસાર, ટ્રેન નંબર 12204એ સરહિંદ સ્ટેશન પાર કર્યું કે તરત જ બૉગી નંબર 19માંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો. એક જાગૃત મુસાફરે તાત્કાલિક ટ્રેનની ચેન ખેંચીને તેને રોકાવી દીધી. ટ્રેન ઊભી રહે તે પહેલાં જ ધુમાડાની સાથે આગની ભયંકર જ્વાળાઓ ઊંચી ઊઠવા લાગી, જેને પગલે મુસાફરોમાં ગભરાટ ફેલાયો.
બૉગીમાં હાજર વેપારીઓ અને અન્ય મુસાફરોએ પોતાનાં બાળકો અને સામાન સાથે ઉતાવળે નીચે ઉતરવાનું શરૂ કર્યું. આ દોડધામ અને નાસભાગમાં કેટલાક મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી, અને કેટલાકનો સામાન કોચમાં જ છૂટી ગયો. લોકપાઇલટને ઘટનાની ગંભીરતા સમજાતા તેમણે ટ્રેનને સલામત સ્થળે રોકી દીધી અને તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરી.
શોર્ટ સર્કિટની આશંકા
આગની જાણ થતાં જ રેલવે અધિકારીઓ, GRP, RPF, પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. લગભગ એક કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો.
રેલવે સૂત્રો અને પ્રાથમિક તપાસમાં આગ લાગવાનું સંભવિત કારણ શોર્ટ સર્કિટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર રેલવેએ જણાવ્યું કે બઠિંડા સ્ટેશન પાસેથી પસાર થતી વખતે આ આગની ઘટના બની હતી. જોકે, ગંભીર જાનહાનિ ટળી છે. આગ પર કાબૂ મેળવ્યા બાદ મુસાફરોને સુરક્ષિત રીતે અન્ય કોચમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા અને ટ્રેનને તેના ગંતવ્ય સ્થાન દિલ્હી તરફ રવાના કરવામાં આવી હતી.
રેલવે દ્વારા આ ઘટનાની વિસ્તૃત તપાસના આદેશો આપી દેવામાં આવ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર લાંબા અંતરની ટ્રેનોમાં સુરક્ષા અને જાળવણીના માપદંડો પર સવાલો ઊભા કર્યા છે, જોકે રેલવે કર્મચારીઓની સમયસૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી તે રાહતની વાત છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા