વિદ્યાર્થી લાઠીચાર્જ કેસમાં દિલ્હી હાઈકોર્ટ લાલઘૂમ
જંતર-મંતર લાઠીચાર્જ કેસમાં કેન્દ્ર અને દિલ્હી પોલીસને નોટિસ, CCTV પુરાવા સાચવવા આદેશ

દિલ્હી હાઈકોર્ટની ફાઈલ તસવીર

દિલ્હી હાઈકોર્ટની ફાઈલ તસવીર
Delhi High Court's strict stance on lathi charge case: જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જના મુદ્દે દિલ્હી હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી પોલીસને નોટિસ પાઠવી ચાર અઠવાડિયામાં સોગંદનામું દાખલ કરવા આદેશ આપ્યો છે. સાથે જ ઘટનાથી સંબંધિત તમામ CCTV ફૂટેજ અને વીડિયોગ્રાફી સુરક્ષિત રાખવાનો પણ નિર્દેશ કર્યો છે. આ કેસની આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરે હાથ ધરાશે.
પુરાવા જાળવવા કોર્ટનો સ્પષ્ટ નિર્દેશ
સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું કે, ઘટનાથી જોડાયેલા તમામ પુરાવા, જેમાં CCTV ફૂટેજ અને અન્ય વિડિયો રેકોર્ડિંગનો સમાવેશ થાય છે. તેમને સંબંધિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) મુજબ સાચવી રાખવા જરૂરી છે. કોર્ટે હાલ કેસના ગુણદોષ પર કોઈ અભિપ્રાય આપ્યા વગર માત્ર સંબંધિત પક્ષો પાસેથી જવાબ માંગ્યો છે.
કાયદાકીય પ્રક્રિયા અંગે ASGનું વલણ
કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસ.વી. રાજુએ દલીલ કરી હતી કે જો કોઈ સંજ્ઞેય ગુનાની માહિતી પોલીસને મળે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે કેટલાક મુદ્દાઓમાં સીધી FIR નોંધવાની જોગવાઈ લાગુ પડતી નથી અને અરજદારો પાસે અન્ય કાયદાકીય વિકલ્પો પણ ઉપલબ્ધ છે. કોર્ટે અનિતા ઠાકુર કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે આવા ખોટા કાર્યો માટે જાહેર કાયદા હેઠળ પણ ઉપાયો માંગી શકાય છે. કોર્ટે જણાવ્યું કે, કેસની યોગ્યતા પર કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યા વિના ફક્ત જવાબ દાખલ કરવા અને તેમની માનક સંચાલન પ્રક્રિયાઓ (SOPs) અનુસાર રેકોર્ડ સાચવવા માટે કહી રહી હતી.
અરજદારોના ગંભીર આક્ષેપો
અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, વિરોધ દરમિયાન કેટલાક પોલીસકર્મીઓ સાદા વસ્ત્રોમાં હતા અને બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. અરજદારોના વકીલે દાવો કર્યો કે શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા લોકોને બળજબરીથી હટાવવામાં આવ્યા અને કેટલાક લોકો સાથે મારપીટ પણ કરવામાં આવી હતી. તેમણે આ ઘટનાને નાગરિકોના મૂળભૂત અધિકારો સાથે જોડાયેલો મુદ્દો ગણાવ્યો.
સોનમ વાંગચુક મુદ્દે પણ ઉઠ્યા પ્રશ્નો
સુનાવણી દરમિયાન સામાજિક કાર્યકર સોનમ વાંગચુકને વિરોધ સ્થળેથી હટાવવાની કાર્યવાહીનો પણ ઉલ્લેખ થયો હતો. અરજદાર પક્ષે દાવો કર્યો કે વાંગચુક ભૂખ હડતાળ પર હતા. તેમને બળજબરીથી ત્યાંથી ખસેડવામાં આવ્યા હતા. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે હાલની સુનાવણીનો મુખ્ય મુદ્દો પોલીસ કાર્યવાહી અંગેનો જવાબ મેળવવાનો છે.
'ફક્ત પ્રચાર માટે અરજી દાખલ કરવામાં આવી'- સરકાર
એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કહ્યું કે, બે બાબતો છે. છેલ્લી અરજી, નંબર 54, અન્ય અરજીઓથી અલગ છે. અરજી નંબર 54 માં ઘટના અને તારીખ સંપૂર્ણપણે અલગ છે. આ એક કોગ્નિઝેબલ ગુનો નથી. આવા કેસમાં FIR દાખલ કરી શકાતી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, જો કોઈ ગુનો આચરવામાં આવ્યો હોય તો તેઓ કલમ 154(3) હેઠળ કોર્ટમાં જઈ શકે છે. વાંગચુકની વાત કરીએ તો કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી, અને આ કોર્ટ આ બાબત પર વિચાર કરી રહી છે. એવું લાગે છે કે આ અરજી ફક્ત પ્રચાર માટે દાખલ કરવામાં આવી હતી. તેને ફગાવી દેવી જોઈએ.
સંસદ કૂચ પહેલાં વધી હતી ભીડ
વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે જણાવ્યું કે, તેઓએ કહ્યું હતું કે તેઓ 20 તારીખે સંસદ તરફ કૂચ કરશે. હકીકતમાં બધા 20 તારીખે જ ભેગા થયા હતાં. 19 તારીખ સુધી કોઈ હિંસા થઈ ન હતી. તેમણે દલીલ કરી હતી કે 20 તારીખે ભીડ ઉમટવા લાગી. કારણ કે સંસદ તરફ કૂચની માહિતી જાહેર થઈ હતી અને આ ભીડ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ ભીડમાં છોકરાઓ અને છોકરીઓનો સમાવેશ થતો હતો. હેગડેનો પુત્ર પણ હાજર હતો. તમામ પૃષ્ઠભૂમિના બાળકો હાજર હતા.
તેમણે ઉમેર્યુ કે, જાહેર માહિતીમાં હજુ સુધી કોઈ પુરાવા જાહેર થયા નથી કે મેળાવડો હિંસક બન્યો હતો. ઘણા વીડિયોમાં સાદા કપડામાં કેટલાક લોકો પોલીસ સાથે મળીને વિરોધીઓ પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા