જયપુર હાઇવે પર 200 સિલિન્ડર ધકકાભેર ફાટ્યા
જયપુર-અજમેર હાઇવે પર દૂડુ નજીક વિસ્ફોટના કારણે 20 KMનો હાઇવે જામ, હાલ આગ કાબૂમાં.

200 સિલિન્ડર ધકકાભેર ફાટ્યા

200 સિલિન્ડર ધકકાભેર ફાટ્યા
રાજસ્થાનના જયપુર-અજમેર નેશનલ હાઇવે પર મંગળવારે મોડી રાત્રે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી, જેના પગલે 200થી વધુ LPG સિલિન્ડરો ધડાકાભેર ફાટ્યા હતા. દૂડુ નજીક મોખમપુરા પાસે LPG સિલિન્ડર ભરેલા એક ટ્રકને પાછળથી આવેલા કેમિકલ ટેન્કરે જોરદાર ટક્કર મારી દીધી, જેના કારણે ટેન્કરના કેબિનમાં આગ લાગી અને સિલિન્ડરોમાં બ્લાસ્ટનો સિલસિલો શરૂ થયો.
આ વિનાશક ઘટનામાં એક વ્યક્તિ જીવતો ભડથું થઈ ગયો હતો અને હાઇવે 6 કલાક સુધી બંધ રહ્યો હતો.
2 કલાક સુધી સિલિન્ડરો ફાટ્યા
મળતી માહિતી મુજબ, રાત્રે 10 વાગ્યે સાવરદા પુલિયા પાસે ઢાબા પાસે ગેસ સિલિન્ડરો ભરેલો ટ્રક (જેમાં આશરે 330 સિલિન્ડર હતા) ઊભો હતો. આ દરમિયાન, અત્યંત જ્વલનશીલ બેન્ઝીન કેમિકલ ભરેલા એક ટેન્કરે તેને ટક્કર મારી. ટક્કર બાદ ટેન્કરમાં આગ લાગી અને પછી LPG સિલિન્ડરોમાં બ્લાસ્ટ શરૂ થયા. આ ધમાકા એટલા જોરદાર હતા કે 200 જેટલા સિલિન્ડરો ફાટી ગયા અને તેના ટુકડા 500 મીટર દૂર ખેતરોમાં પણ પડ્યા હતા. 10 કિલોમીટર દૂર સુધી આ વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો, અને સિલિન્ડર ફાટવાનો સિલસિલો લગભગ 2 કલાક સુધી ચાલ્યો હતો.
આ ભીષણ આગની લપેટમાં આસપાસ ઊભેલા પાંચ અન્ય વાહનો પણ આવી ગયા હતા. ટેન્કરનો ડ્રાઇવર, જેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, તે પોતાને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આગની ઝડપ એટલી હતી કે તે બચી શક્યો નહોતો. એક ટ્રક કંડક્ટર સદ્દામ મોહમ્મદ ગંભીર રીતે ઘાયલ થતાં તેને હોસ્પિટલમાં ખસેડાયો છે.
ટ્રક ડ્રાઇવર શાહરૂખે કરેલા એક સનસનીખેજ ખુલાસા મુજબ, કેમિકલ ટેન્કરનો ડ્રાઇવર આરટીઓ (RTO)ની ગાડી જોઈને પોતાને બચાવવા માટે ટેન્કરને ઢાબા તરફ વાળવા ગયો હતો, અને આ દરમિયાન તે ગેસ સિલિન્ડરના ટ્રક સાથે અથડાયો હતો. આ ટક્કર બાદ સ્પાર્કિંગ થવાથી આગ લાગી હતી. એનએચએઆઈ (NHAI) આ અકસ્માત પાછળના ચોક્કસ કારણો અને બેદરકારી અંગે રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે, જેનાથી તથ્યો બહાર આવી શકે.
બચાવ કામગીરી અને હાઇવે પર જામ
પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે ફાયર વિભાગની 12 ગાડીઓએ 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. આ દુર્ઘટનાના કારણે જયપુર-અજમેર હાઇવે પર બંને તરફ ટ્રાફિક રોકી દેવાયો હતો, જેના કારણે લગભગ 20 કિલોમીટર લાંબો જામ સર્જાયો હતો. રાતભરની મહેનત બાદ પ્રશાસને મોટાભાગના ટ્રાફિકને વૈકલ્પિક રસ્તાઓ પર ડાયવર્ટ કર્યો હતો અને હાઇવે બુધવારે સવારે 4:30 વાગ્યે ફરીથી ખોલવામાં આવ્યો હતો.
નાયબ મુખ્યમંત્રી ડૉ. પ્રેમચંદ બૈરવા અને અન્ય અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી, અને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ ઘટના પર ઘાયલોની યોગ્ય સારવાર માટેના નિર્દેશ આપ્યા હતા. હાલમાં FSLની ટીમ પુરાવા એકત્ર કરવા માટે ઘટનાસ્થળે પહોંચવાની તૈયારીમાં છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

મહારાષ્ટ્રના નવા નિયમથી હજારો ડ્રાઇવરોમાં ખળભળાટ

બિહારમાંથી બિજેન્દ્ર ગુપ્તાની ધરપકડ, રૂ. 1.5 કરોડનું કાવતરું ખુલ્લું પડ્યું

ચંદીગઢ અને લુધિયાણામાં દરોડા