ODI ટીમમાં હાર્દિકની બાદબાદી અંગે BCCI ની સ્પષ્ટતા
વર્કલોડ મેનેજમેન્ટ અને ફિટનેસના કારણે હાર્દિક પંડ્યા બહાર; ટી20 વર્લ્ડકપ પર ફોકસ

હાર્દિક પંડ્યાની ગેરહાજરીએ સૌને ચોંકાવ્યા

હાર્દિક પંડ્યાની ગેરહાજરીએ સૌને ચોંકાવ્યા
ભારતીય ક્રિકેટ બોર્ડે ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી માટે ટીમની જાહેરાત કરતાની સાથે જ ક્રિકેટ ચાહકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ગેરહાજરીએ સૌને ચોંકાવ્યા છે, પરંતુ તેની પાછળ બોર્ડની એક લાંબાગાળાની રણનીતિ કામ કરી રહી હોવાનું સામે આવ્યું છે.
હાર્દિક પંડ્યાની બાદબાકી પાછળનું સાચું કારણભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આગામી ૧૧મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલી વનડે શ્રેણી માટે જ્યારે બીસીસીઆઈએ ટીમની જાહેરાત કરી, ત્યારે સૌથી મોટો સવાલ હાર્દિક પંડ્યાના નામની ગેરહાજરી પર ઉઠ્યો હતો. આ અંગે ચાહકો અને નિષ્ણાતોમાં અસમંજસની સ્થિતિ સર્જાતા અંતે બીસીસીઆઈએ સત્તાવાર પ્રેસ રિલીઝ જારી કરીને સ્પષ્ટતા કરવી પડી છે.
બોર્ડના જણાવ્યા અનુસાર, હાર્દિક પંડ્યા હાલમાં બેંગલુરુ સ્થિત 'સેન્ટર ઓફ એક્સીલેન્સ'માં રિહેબિલિટેશન હેઠળ છે. મેડિકલ ટીમ અને નિષ્ણાતોના મતે હાર્દિકને હજુ વનડે ફોર્મેટ મુજબ એક મેચમાં સતત ૧૦ ઓવર બોલિંગ કરવાની મંજૂરી આપવામાં આવી નથી. આગામી ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૬ને ધ્યાનમાં રાખીને બોર્ડ તેના વર્કલોડ મેનેજમેન્ટ પર વિશેષ ધ્યાન આપી રહ્યું છે. હાર્દિક પંડ્યા ટી૨૦ ફોર્મેટમાં વધુ અસરકારક રીતે રમી શકે અને ફરીથી ઈજાગ્રસ્ત ન થાય તે માટે તેને આ વનડે શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.
ઈજા અને વાપસીનો લાંબો સિલસિલોહાર્દિક પંડ્યા માટે છેલ્લા કેટલાક વર્ષો ઈજાના કારણે ઉતાર-ચઢાવવાળા રહ્યા છે. ફેબ્રુઆરી ૨૦૨૫ પછી હાર્દિકને એક પણ વનડે મેચ રમવાની તક મળી નથી. છેલ્લે તે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત માટે વનડે રમતો જોવા મળ્યો હતો, જ્યાં તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. એશિયા કપ ૨૦૨૫ દરમિયાન ફરી એકવાર ઈજા થતા તે બે મહિના સુધી ક્રિકેટના મેદાનથી દૂર રહ્યો હતો.
તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટી૨૦ શ્રેણીમાં તેણે વાપસી કરી હતી, પરંતુ તેની ફિટનેસ હજુ ૫૦ ઓવરના ફોર્મેટ માટે પૂરતી નથી તેવું ડોક્ટરોનું માનવું છે. રસપ્રદ વાત એ છે કે, હાર્દિકે હાલમાં જ વિજય હઝારે ટ્રોફીમાં બરોડા તરફથી રમતા માત્ર ૯૨ બોલમાં ૧૩૩ રનની આક્રમક ઈનિંગ રમીને પોતાની બેટિંગ લય બતાવી દીધી છે, પરંતુ બોલિંગમાં હજુ સાવચેતી રાખવામાં આવી રહી છે.
ગુજરાત બનશે ક્રિકેટના મહાકુંભનું સાક્ષીભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની આ વનડે શ્રેણી ગુજરાતી ક્રિકેટ પ્રેમીઓ માટે અત્યંત ખાસ રહેવાની છે. શ્રેણીની પ્રથમ બે મેચો ગુજરાતના આંગણે રમાશે:
૧૧ જાન્યુઆરી: પ્રથમ વનડે - વડોદરા
૧૪ જાન્યુઆરી: બીજી વનડે - રાજકોટ
વડોદરાના ચાહકોને આશા હતી કે તેમના ઘરના ખેલાડી હાર્દિક પંડ્યાને રમતા જોશે, પરંતુ તેની ગેરહાજરીથી નિરાશા સાંપડી છે. જોકે, રવીન્દ્ર જાડેજા જેવા ગુજરાતી દિગ્ગજો ટીમમાં હાજર છે.
ન્યૂઝીલેન્ડ શ્રેણી માટે ભારતની ૧૫ સભ્યોની ટીમપસંદગીકારોએ આ વખતે યુવા ખેલાડીઓ અને અનુભવી ખેલાડીઓનું સંતુલિત મિશ્રણ તૈયાર કર્યું છે.
ટીમ ઇન્ડિયા: શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, હર્ષિત રાણા, પ્રસિધ કૃષ્ણા, કુલદીપ યાદવ, રિષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ અને યશસ્વી જયસ્વાલ.
આ ટીમમાં નીતિશ કુમાર રેડ્ડી અને હર્ષિત રાણા જેવા યુવા ખેલાડીઓ પર પસંદગીકારોએ ફરી એકવાર ભરોસો મૂક્યો છે. રિષભ પંત અને કે.એલ. રાહુલ બંને વિકેટકીપર વિકલ્પ તરીકે ટીમમાં હાજર રહેશે.
હાર્દિક પંડ્યાની વનડે ટીમમાંથી બાદબાકી એ કોઈ નકારાત્મક કારણોસર નહીં પણ તેની કારકિર્દીને લાંબી ખેંચવા અને આગામી આઈસીસી ઈવેન્ટ્સમાં તેની સંપૂર્ણ સેવાનો લાભ લેવા માટે લેવાયેલો રણનીતિક નિર્ણય છે. ૧૧ જાન્યુઆરીથી વડોદરામાં જ્યારે પ્રથમ વનડે રમાશે, ત્યારે જોવાનું રહેશે કે ભારત હાર્દિક વગર પોતાના મિશનની શરૂઆત કેવી રીતે કરે છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોલંબો ટેસ્ટમાં ભારત 1-0ની લીડ સાથે શ્રીલંકા સામે 2-0થી ક્લીન સ્વીપના ઈરાદે ઉતરશે. શુભમન ગિલના 3,000 ટેસ્ટ રન અને પ્લેઇંગ-11 પર નજર રહેશે.

કોચે આપ્યો મોટો સંકેત