શ્રી કૃષ્ણનો જન્મોત્સવ: ભક્તિ અને ઉલ્લાસનું પર્વ
આવતીકાલે જન્માષ્ટમી, ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ ઉજવાશે
ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ
ભગવાન કૃષ્ણનો 5252મો જન્મોત્સવ
નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી...' આ શબ્દોનો જયઘોષ શ્રાવણ વદ આઠમની રાત્રે દરેક કૃષ્ણભક્તના હૃદયમાં ગૂંજી ઊઠે છે. આવતીકાલે, ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મોત્સવ સમગ્ર ગુજરાતમાં આસ્થા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવશે. દ્વારકા, ડાકોર, અને શામળાજી જેવા પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડશે. આ રાત્રે બાર વાગ્યે શંખનાદ થતા જ દરેક મંદિર 'હાથી ઘોડા-પાલખી જય કનૈયાલાલ કી' ના જયઘોષથી ગૂંજી ઊઠશે.
ભગવાન શ્રી કૃષ્ણ અનેક નામોથી ઓળખાય છે, જેમ કે કનૈયો, કાનુડો, નંદલાલ, અચ્યુત, મુરલીધર, મોહન, શ્યામ, જગન્નાથ, માધવ, દ્વારકાધીશ, કેશવ, અને રણછોડ. મહાભારતના અનુશાસન પર્વમાં ઋષિ દુર્વાસાએ ભગવાન કૃષ્ણને આશીર્વાદ આપતા કહ્યું હતું કે, "જ્યાં સુધી મનુષ્યનો અન્નનો ભાવ રહેશે ત્યાં સુધી માનવજાતને તારા પ્રત્યે પણ ભાવ રહેશે જ." આ પાવન પર્વ ભક્તોના હૃદયમાં એક અનેરો થનગનાટ જન્માવે છે.
ભક્તિની વાર્તા: દ્વારકાધીશનો ભક્ત અને તેનું માખણજૂના સમયમાં, દ્વારકા નજીક એક ગરીબ પરંતુ અત્યંત શ્રદ્ધાળુ ગોવાળ રહેતો હતો. તેનું જીવન દ્વારકાધીશની ભક્તિમાં સમર્પિત હતું. તે રોજ થોડુંક માખણ બનાવતો અને નિયમિતપણે દ્વારકાના મંદિરે જઈને પોતાના ભગવાનને અર્પણ કરતો. આ તેની રોજની સેવા હતી.
એક દિવસ, મંદિરમાં જતાં રસ્તામાં તેને ખૂબ તરસ લાગી. રસ્તો લાંબો હતો અને ગરમી ઘણી હતી. થાકીને તે એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. ત્યાં અચાનક તેને એક ભૂખ્યો અને તરસ્યો બાળક મળ્યો. બાળકને જોઈને ગોવાળને દયા આવી. તે બાળકને પોતાની પાસેનું માખણ અને પાણી આપવા લાગ્યો. બાળકને માખણ ખૂબ સ્વાદિષ્ટ લાગ્યું અને તે બધું માખણ ખાઈ ગયો. બાળકનું પેટ ભરાયું અને તેને શાંતિ મળી.
ગોવાળ મનમાં વિચારવા લાગ્યો, 'અરે, મેં તો મારા ભગવાન માટે રાખેલું માખણ આપી દીધું! હવે હું દ્વારકાધીશને શું અર્પણ કરીશ?' તે ખૂબ દુઃખી થયો અને ત્યાંથી ઉદાસ થઈને મંદિર તરફ ચાલવા લાગ્યો.
જ્યારે તે મંદિરે પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે ભગવાનની મૂર્તિના હોઠ પર માખણના અવશેષો લાગેલા હતા. આ જોઈને ગોવાળ આશ્ચર્યચકિત થઈ ગયો. તે સમજી ગયો કે જેને તે રસ્તામાં મળ્યો હતો તે કોઈ સામાન્ય બાળક નહોતો, પરંતુ સ્વયં તેના ભગવાન દ્વારકાધીશ હતા. તે સમજી ગયો કે ભગવાનને ફક્ત ભક્તિ જ ગમે છે, અર્પણ થયેલી વસ્તુ નહીં. ભગવાને તેની શુદ્ધ ભક્તિનો સ્વીકાર કર્યો હતો. આ ઘટના પછી, તે ગોવાળની શ્રદ્ધા અને ભક્તિ અનેકગણી વધી ગઈ.
પ્રમુખ મંદિરોમાં દર્શન અને ઉજવણીડાકોર:
સવારે: 6:30 વાગ્યે નીજ મંદિર ખુલશે, 6:45 વાગ્યે મંગળા આરતી.
સાંજે: 4:45 વાગ્યે નીજ મંદિર ફરી ખુલશે, 5:00 વાગ્યે ઉત્થાપન આરતી.
રાત્રે: 12:00 વાગ્યે જન્મોત્સવ અને પંચામૃત સ્નાન.
દ્વારકા:
સવારે: 6:00 વાગ્યે મંગળા આરતી, 8:00 થી 9:00 વાગ્યે ઠાકોરજીને અભિષેક, 9:30 વાગ્યે શણગાર દર્શન, 10:30 વાગ્યે શ્રુંગાર આરતી.
બપોરે: 1:00 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ.
રાત્રે: 8:30 વાગ્યે શયન આરતી, 10:00 વાગ્યે ભક્તિભાવે જગાડી મંગળા આરતી અને જન્મ સ્નાનની પૂજા, 12:00 વાગ્યે કૃષ્ણ જન્મોત્સવ.
શામળાજી:
સવારે: 6:00 વાગ્યે મંદિર ખુલશે, 6:45 વાગ્યે મંગળા આરતી, 9:15 વાગ્યે શણગાર આરતી.
બપોરે: 11:30 વાગ્યે રાજભોગ ધરાવાશે (મંદિર બંધ), 12:15 વાગ્યે રાજભોગ આરતી (મંદિર બંધ), 2:15 વાગ્યે મંદિર ખુલશે.
રાત્રે: 7:00 વાગ્યે સંધ્યા આરતી, 12:00 વાગ્યે જન્મોત્સવ, 12:45 વાગ્યે શયન આરતી.
અમદાવાદના કયા મંદિરમાં શું આયોજનો?
હરેકૃષ્ણ મંદિર-ભાડજ : સવારે 9ના મહાઅભિષેક, બપોરે 12ના રાજભોગ આરતી-ભગવાનને 108 ભોગ અર્પણના દર્શન, સાંજે 7:30ના સ્વર્ણ રથયાત્રા-મહાઅભિષેક, મધરાત 12ના જન્મક્ષણની મહાઆરતી-સંકીર્તન.
ઈસ્કોન મંદિર : સવારે 4:30ના મંગળા આરતી, ભગવાનનો વૃંદાવનથી આવેલા વસ્ત્રોથી શ્રુંગાર, ગર્ભગૃહનો 400 કિલોથી વધુ ફૂલોથી શણગાર, રાત્રે 11:30ના મહાઅભિષેક, રાત્રે 12:30ના મહાઆરતી.
જગન્નાથ મંદિર : સમગ્ર દિવસ ભજન, વિશિષ્ટ આરતી, રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ.
નરોડા મહાપ્રભુજી બેઠક : શનિવારે રાત્રે 12 વાગ્યે જન્મોત્સવ. રવિવારે સવારે 11 થી 1 નંદમહોત્સવ, પલના તિલક આરતી.
બાપુનગર દ્વારકેશધામ હવેલી: રાત્રે 12 વાગ્યે પંચામૃત સ્નાન સાથે જન્મોત્સવ, રવિવારે સવારે 9:30ના નંદ મહોત્સવ.
કલ્યાણપુષ્ટિ હવેલી - વસ્ત્રાપુર : સવારે 6:30ના પંચામૃત સ્નાન, સવારે 11ના શ્રુંગાર દર્શન, બપોરે 12:30થી 1:30ના રાજભોગ દર્શન, સાંજે 7થી 7:30ના ઉત્થાપન દર્શન, રાત્રે 8 થી 8:30ના સંધ્યા આરતી, રાત્રે 9 થી 10ના શયન દર્શન, રાત્રે 10:15થી 11ના જાગરણ દર્શન, રાત્રે 12ના જન્મદર્શન.

તંત્રની નિષ્ક્રિયતાથી લઈને વહીવટી બેદરકારી સુધી ઉઠ્યા અનેક સવાલો

VIP દર્શનની કોઈ પ્રથા નહીં બુકિંગ ફક્ત વેબસાઈટ પર જ કરવામાં આવશે

વડાપ્રધાન મોદીએ હરિદ્વાર કુંભ મેળા માટે ભંડોળ જાહેર કર્યું; સીએમ ધામીએ માન્યો આભાર