મહિલાઓ ત્રણથી વધુ સોનાના દાગીના પહેરી શકશે નહીં
ઉત્તરાખંડની ગ્રામ પંચાયતનો અનોખો નિર્ણય, ત્રણથી વધુ દાગીના પહેરવા પર 50 હજાર દંડ

ઉત્તરાખંડના દહેરાદૂનમાં સોનાના દાગીના પહેરવા પર લેવાયો નિર્ણય

ઉત્તરાખંડના દહેરાદૂનમાં સોનાના દાગીના પહેરવા પર લેવાયો નિર્ણય
ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના જૌનસાર વિસ્તારની કંદહાર અને ઇન્દ્રાણી ગામોની સંયુક્ત પંચાયતે લગ્નોમાં વધતી દેખાદેખી અને સોનાના ઊંચા ભાવોને ધ્યાનમાં રાખીને એક અનોખો અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. પંચાયતે નક્કી કર્યું છે કે હવે કોઈપણ લગ્ન પ્રસંગમાં મહિલાઓ ફક્ત ત્રણ જ સોનાના દાગીના પહેરી શકશે.
આ નવા નિયમ અનુસાર મહિલાઓ ફક્ત નાકની ચુની, કાનની બુટ્ટી અને મંગળસૂત્ર પહેરી શકશે. જો કોઈ મહિલા આ નિયમનો ભંગ કરે, તો સંબંધિત પરિવાર પાસેથી રૂ. 50,000 નો દંડ વસૂલવામાં આવશે. આ પગલાનો હેતુ સમાજમાં દેખાદેખી ઘટાડવાનો અને પરિવારોને આર્થિક દબાણમાંથી મુક્ત કરાવવાનો છે.
ગામના આગેવાન અર્જુન સિંહના જણાવ્યા મુજબ, સોનાના વધતા ભાવ અને દેખાદેખીના કારણે અનેક પરિવારો તણાવમાં આવે છે. આ નિર્ણયથી સમાજમાં સંતુલન જળવાશે અને અનાવશ્યક ખર્ચ ટળશે.
જો કે, પંચાયતના આ નિર્ણય બાદ ગામમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલીક મહિલાઓએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો સમાનતાની વાત થાય છે, તો નિયમ ફક્ત મહિલાઓ માટે જ કેમ? તેમની દલીલ છે કે પુરુષો દ્વારા લગ્નોમાં બ્રાન્ડેડ દારૂ અને વૈભવી ખર્ચ પર પણ નિયંત્રણ લાવવું જોઈએ.
પંચાયતે મહિલાઓની આ માંગને યોગ્ય ગણાવી છે અને જણાવ્યું છે કે આવનારા સમયમાં દારૂ અને અન્ય બિનજરૂરી ખર્ચ પર નિયંત્રણ લાવવાનો વિચાર પણ કરવામાં આવશે. આ નિર્ણય હવે સ્થાનિક સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...