કોણ બનશે મુંબઈના મેયર?
ઉદ્ધવ ઠાકરે કેમ્પ એક એવો માસ્ટરસ્ટ્રોક રમી શકે છે જે એકનાથ શિંદેની સોદાબાજીની નબળી પાડશે

મુંબઈના મેયર

મુંબઈના મેયર
મુંબઈ મહાનગરપાલિકા (BMC) ચૂંટણીના પરિણામો બાદ હવે મેયર પદને લઈને રાજકારણ ગરમાયું છે. શિવસેના (UBT) અને શિવસેના (શિંદે જૂથ) વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ઉદ્ધવ ઠાકરે કેમ્પ એક એવો માસ્ટરસ્ટ્રોક રમી શકે છે જે એકનાથ શિંદેની સોદાબાજી કરવાની શક્તિને નબળી પાડી દેશે.
મુંબઈ મેયરની રેસ
મુંબઈ BMCની 227 બેઠકોમાંથી ભાજપને 89 અને શિંદે જૂથને 29 બેઠકો મળી છે, જ્યારે શિવસેના (UBT) 65 બેઠકો સાથે બીજા ક્રમનો સૌથી મોટો પક્ષ બન્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉદ્ધવ ઠાકરે કેમ્પ ભાજપને એકલા હાથે બહુમતી સાબિત કરવામાં મદદ કરવા માટે મતદાન સમયે 'વોકઆઉટ' કરવાની યોજના બનાવી શકે છે. જો ઉદ્ધવ સેનાના 65 કોર્પોરેટરો વોકઆઉટ કરે, તો સભાગૃહની કુલ સંખ્યા ઘટી જશે, જેનાથી ભાજપ માટે પોતાના જોરે બહુમતી સાબિત કરવી સરળ બનશે અને શિંદે જૂથ પરની નિર્ભરતા ઘટી જશે.
શિંદે જૂથે મહાયુતિમાં મેયર પદ માટે દાવો કર્યો
આ વ્યૂહાત્મક પગલા પાછળનો હેતુ એકનાથ શિંદેની શિવસેનાને મુંબઈમાં નબળી પાડવાનો હોવાનું મનાય છે. શિંદે જૂથે મહાયુતિમાં મેયર પદ માટે દાવો કર્યો છે, પરંતુ ઉદ્ધવ ઠાકરેની આ સંભવિત ચાલ શિંદેના 'બાર્ગેનિંગ પાવર' પર સીધો પ્રહાર કરી શકે છે. સંજય રાઉતે પણ આડકતરો ઈશારો કરતા જણાવ્યું હતું કે, ભાજપનો મેયર આવશે તો મુંબઈ માટે 'દુખનો દિવસ' હશે, પરંતુ તેઓ દરેક વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.