મુંબઈના વસઈ વિરારમાં ઈમારત ધરાશાયી, બચાવ કાર્ય શરૂ
મહારાષ્ટ્રના વિરારમાં રામાબાઈ ઈમારત ધરાશાયી થતાં 2ના મોત થયા છે અને 11થી વધુનો બચાવ
મુંબઈમાં ઈમારત ધરાશાયી
મુંબઈમાં ઈમારત ધરાશાયી
વસઈ-વિરારના વિરાર પૂર્વમાં બુધવારે સવારે રામાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ ધરાશાયી થતાં આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ દુર્ઘટનામાં 1 વર્ષના બાળક સહિત 2 લોકોના મોત થયા છે અને 11થી વધુ લોકોને બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાલઘર જિલ્લાના વિરાર પૂર્વ વિસ્તારમાં સ્થિત રામાબાઈ એપાર્ટમેન્ટનો એક ભાગ બુધવારે વહેલી સવારે લગભગ 4:35 વાગ્યે ધરાશાયી થયો હતો. ઈમારતનો એક હિસ્સો બાજુની ઝૂંપડપટ્ટી પર પડતાં અનેક લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ અકસ્માતમાં નજીકની બીજી ઈમારતને પણ નુકસાન થયું છે.
આ ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકાના અધિક આયુક્ત દીપક સાવંતે જણાવ્યું કે, રામાબાઈ એપાર્ટમેન્ટનો અડધો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં લગભગ 12 ફ્લેટ હતા. રાતથી બચાવ ટુકડીઓ કામ કરી રહી છે. ઘટનાની જાણ થતાં જ વસઈ-વિરાર મહાનગરપાલિકાની ટીમો, ફાયર બ્રિગેડ, NDRF અને સ્થાનિક પોલીસ પ્રશાસન પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
NDRFના અધિકારીઓએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં 11 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 6 લોકો ઘાયલ થયા છે અને તેમને વિરાર અને નાલાસોપારાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વસઈ-વિરાર શહેર મહાનગરપાલિકાના સહાયક કમિશનર ગિલસન ઘોંસાલ્વીસે જણાવ્યું હતું કે, કાટમાળ નીચે કેટલા લોકો ફસાયા છે તે હજુ સ્પષ્ટ નથી.
સ્થાનિક પ્રશાસને ઘટનાસ્થળને સીલ કરી દીધું છે અને અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઈમારતની જૂની સ્થિતિ અને માળખાકીય નબળાઈ આ અકસ્માતનું કારણ હોઈ શકે છે. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.