મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસ પર સુપ્રીમ કોર્ટનો સ્ટે
બોમ્બે હાઈકોર્ટના 12 આરેપીને છોડવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટેનો આદેશ

સુપ્રિમ કોર્ટ દ્વાર લગાવાયો સ્ટે

સુપ્રિમ કોર્ટ દ્વાર લગાવાયો સ્ટે
2006 ના મુંબઈ ટ્રેન બ્લાસ્ટ કેસમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા 12 આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે આજે, ગુરુવારે, સ્ટે મૂક્યો છે. જોકે, સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ આદેશથી હાલ જેલમાં બંધ આરોપીઓની મુક્તિ પર કોઈ અસર થશે નહીં. સાથે જ, સુપ્રીમ કોર્ટે એ પણ ટિપ્પણી કરી કે હાઈકોર્ટ દ્વારા આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આ નિર્ણય અન્ય કોઈ કેસમાં મિસાલ તરીકે રજૂ કરી શકાશે નહીં.
મહારાષ્ટ્ર સરકારની અરજી પર સુપ્રીમનો નિર્ણયઆ નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો. ગુરુવારે પોતાનો ચુકાદો આપતી વખતે, સુપ્રીમ કોર્ટે આ 12 આરોપીઓને નોટિસ પણ જારી કરી છે. આ ઉપરાંત, હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ પર પણ સ્ટે મૂકવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર સરકાર વતી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તેઓ આરોપીઓને ફરીથી જેલમાં મોકલવાનું કહી રહ્યા નથી, પરંતુ હાઈકોર્ટની કેટલીક ટિપ્પણીઓ અન્ય MCOCA કેસોમાં ચાલી રહેલા ટ્રાયલને અસર કરી શકે છે. આ રજૂઆત બાદ સુપ્રીમ કોર્ટે તે ટિપ્પણીઓ પર રોક લગાવી દીધી હતી અને ભારપૂર્વક જણાવ્યું હતું કે હાઈકોર્ટનો આદેશ અન્ય કેસોમાં દ્રષ્ટાંત બનશે નહીં.
બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો અને "7/11 મુંબઈ બ્લાસ્ટ"21 જુલાઈના રોજ, બોમ્બે હાઈકોર્ટે મુંબઈ બ્લાસ્ટ કેસમાં પોતાનો ચુકાદો આપતાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. આ નિર્ણય જસ્ટિસ અનિલ કિલોર અને જસ્ટિસ એસ ચાંડકની બેન્ચે આપ્યો હતો. આ કેસમાં કુલ 13 આરોપીઓ હતા, જેમાંથી એકને ખાસ કોર્ટ દ્વારા પહેલાથી જ નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટે 21 જુલાઈના રોજ ૧૨ લોકોને તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો, જેમાંથી 5 આરોપીઓને મૃત્યુદંડની સજા અને 7 અન્યને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, જુલાઈ ૨૦૦૬માં મુંબઈમાં વેસ્ટર્ન લાઇનની લોકલ ટ્રેનોમાં 7 બોમ્બ વિસ્ફોટ થયા હતા. આ વિસ્ફોટોમાં કુલ 189 નાગરિકોના મોત થયા હતા અને લગભગ 820 નિર્દોષ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટનાને કુખ્યાત "7/11 મુંબઈ બ્લાસ્ટ" તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ કેસની કાનૂની લડાઈ હજુ પણ ચાલુ છે, અને સુપ્રીમ કોર્ટનો આ તાજો નિર્ણય આ મામલામાં વધુ એક મહત્ત્વપૂર્ણ વળાંક સાબિત થયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...