તેલંગાણામાં ફૂડ પોઈઝનિંગથી વિધાર્થીઓ બીમાર
દૂધીનું શાક અને ઈંડા ખાધા બાદ વિદ્યાર્થીનીઓને ઉલટી-ઉબકા; કલેક્ટરે આપ્યા તપાસના આદેશ.

ફૂડ પોઈઝનિંગથી વિધાર્થીઓ બીમાર

ફૂડ પોઈઝનિંગથી વિધાર્થીઓ બીમાર
તેલંગાણામાં છેલ્લા 48 કલાકમાં ફૂડ પોઈઝનિંગની ત્રણ મોટી ઘટનાઓ સામે આવતા શિક્ષણ અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. સંગારેડ્ડી, ખમ્મમ અને વનપર્તી જિલ્લાની સરકારી શાળાઓ અને હોસ્ટેલમાં મધ્યાહન ભોજન અને રાત્રિનું ભોજન લીધા બાદ 100થી વધુ વિદ્યાર્થીઓની તબિયત બગડી છે.
1: સંગારેડ્ડીમાં દુર્ગંધ મારતા ભોજનથી 45 બાળકો અસરગ્રસ્ત
ગુરુવારે સંગારેડ્ડી જિલ્લાના વેંકટાપુર ગામની પ્રાથમિક શાળામાં 45 વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન પીરસવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શાકમાંથી દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ શાળા સત્તાધીશોએ તેને નજરઅંદાજ કરી હતી. પરિણામે, 23 બાળકોને હોસ્પિટલ ખસેડવા પડ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય સંજીવ રેડ્ડીએ હોસ્પિટલની મુલાકાત લઈ સુપરવાઈઝરને કડક ચેતવણી આપી છે.
2: ખમ્મમમાં 10 વિદ્યાર્થીઓની હાલત નાજુક
શુક્રવારે ખમ્મમ જિલ્લાના કોનિજેરલા મંડળમાં બોડિયાથાંડા સરકારી શાળાના 38 વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા હતા. ઉલટી અને પેટમાં દુખાવાની ફરિયાદ બાદ 10 બાળકોની હાલત ગંભીર હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલ તમામ બાળકો ખમ્મમ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
3: વનપર્તીની કન્યા છાત્રાલયમાં 32 વિદ્યાર્થિનીઓ બીમાર
વનપર્તી જિલ્લાના કોથાકોટામાં આવેલી BC ગર્લ્સ હોસ્ટેલમાં શુક્રવારે રાત્રે ભોજનમાં દૂધીનું શાક, ટામેટા રસમ અને ઈંડા ખાધા બાદ 32 વિદ્યાર્થિનીઓને ઝેરી અસર થઈ હતી. હોસ્ટેલ વોર્ડન વિજયાએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી તમામ બાળકીઓને જિલ્લા હોસ્પિટલ ખસેડી હતી.
તપાસના આદેશ:
જિલ્લા કલેક્ટર આદર્શ સુરભિએ આ મામલે વિગતવાર તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે. બીજી તરફ, હોસ્પિટલમાં BRS અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે આ મુદ્દે બોલાચાલી થતા વાતાવરણ તંગ બન્યું હતું, જેમાં પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.