કેટલીક એવી હસ્તીઓ જેની હવાઈ સફર રહી ગઈ અધૂરી
ચૂંટણી પ્રચાર દરમિયાન અજિત પવાર સહિત 5ના મોત; વડાપ્રધાન અને રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ

બારામતીના આકાશમાં કાળનો પંજો

બારામતીના આકાશમાં કાળનો પંજો
ભારતીય રાજકારણમાં આજનો દિવસ અત્યંત કાળો સાબિત થયો છે. મહારાષ્ટ્રના લોકપ્રિય નેતા અને પ્રશાસનિક ક્ષમતાના પર્યાય ગણાતા અજિત પવારના અકાળે અવસાનથી સમગ્ર દેશ સ્તબ્ધ છે. બારામતીમાં થયેલી આ વિમાન દુર્ઘટનાએ ભારતે ગુમાવેલા દિગ્ગજ રાજકીય નેતાઓની યાદ તાજી કરી દીધી છે.
બુધવારે સવારે જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કદાવર નેતા અજિત પવાર પોતાના મતવિસ્તાર બારામતીમાં ચૂંટણી પ્રચાર માટે જઈ રહ્યા હતા, ત્યારે કલ્પના નહોતી કે આ તેમની અંતિમ સફર હશે. બારામતી એરપોર્ટ પર લેન્ડિંગ કરવાના ગણતરીના મિનિટો પહેલા જ તેમનું ચાર્ટર્ડ પ્લેન નિયંત્રણ ગુમાવી બેઠું અને જમીન પર પટકાતાની સાથે જ તેમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં અજિત પવાર સહિત વિમાનમાં સવાર કુલ 5 લોકોએ જીવ ગુમાવ્યા છે.
વડાપ્રધાન અને રાષ્ટ્રપતિની શોક સંવેદનાઅજિત પવારના નિધનના સમાચાર વાયુવેગે ફેલાતા જ દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખ સાથે જણાવ્યું કે, "અજિત પવાર એક સાચા જનતાના નેતા હતા. પાયાના સ્તરે તેમનું જોડાણ અતુલ્ય હતું. ગરીબોના સશક્તિકરણ માટેનો તેમનો જુસ્સો હંમેશા યાદ રહેશે." રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ આ નિધનને દેશ માટે 'ન પૂરી શકાય તેવી ખોટ' ગણાવી છે. બીજી તરફ, કોંગ્રેસના નેતા ઈમરાન પ્રતાપગઢીએ આ દુર્ઘટના પાછળ કોઈ કાવતરું કે ટેકનિકલ ખામી છે કે કેમ તેની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે.
ઇતિહાસનું પુનરાવર્તન: જ્યારે વિમાની સફર રાજનેતાઓ માટે જીવલેણ બનીઅજિત પવારની આ દુર્ઘટનાએ ભૂતકાળમાં થયેલા અનેક મોટા અકસ્માતોની યાદ અપાવી છે:
વિજય રૂપાણી (2025): ગયા વર્ષે જ 12મી જૂને અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થતાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું હતું. આ ભયાનક અકસ્માતમાં 242 મુસાફરોમાંથી માત્ર એક જ વ્યક્તિ જીવિત બચી હતી.


YS રાજશેખર રેડ્ડી (2009): આંધ્ર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રીનું હેલિકોપ્ટર જંગલોમાં ક્રેશ થયું હતું.

સંજય ગાંધી (1980): ઈન્દિરા ગાંધીના પુત્ર અને યુવા નેતા સંજય ગાંધીનું દિલ્હીમાં વિમાન ઉડાવતી વખતે અકસ્માતમાં મોત થયું હતું.

માધવરાય સિંધિયા (2001): ખરાબ હવામાનને કારણે મૈનપુરી પાસે પ્લેન ક્રેશ થતા કોંગ્રેસના દિગ્ગજ નેતા માધવરાય સિંધિયાનું અવસાન થયું હતું.
આ ઉપરાંત GMC બાલયોગી, ઓમ પ્રકાશ જિંદાલ અને સુરેન્દ્ર સિંહ જેવા નેતાઓએ પણ આકાશમાં જ પોતાની અંતિમ શ્વાસ લીધા હતા.
અજિત પવારનું જવું એ માત્ર મહારાષ્ટ્ર માટે જ નહીં પણ ભારતીય રાજનીતિ માટે એક મોટો આઘાત છે. વહીવટી કુશળતા અને સહકારી ક્ષેત્રમાં તેમના યોગદાનને આવનારી પેઢીઓ હંમેશા યાદ રાખશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.