સાધ્વી પ્રેમ બાઈસાના શંકાસ્પદ મોત બાદ સમાધિ
રાજસ્થાનના કથાવાચકના મૃત્યુ બાદ સુસાઈડ નોટથી હડકંપ, જૂના બ્લેકમેઇલિંગ કેસની ફરી ચર્ચા શરૂ

સાધ્વી પ્રેમ બાઈસા

સાધ્વી પ્રેમ બાઈસા
રાજસ્થાનના પ્રખ્યાત કથાવાચક સાધ્વી પ્રેમ બાઈસાનું 23 વર્ષની નાની વયે રહસ્યમય સંજોગોમાં નિધન થયું છે. બુધવારે જોધપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યાની મિનિટોમાં જ તેમનું અવસાન થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. શુક્રવારે તેમના પૈતૃક ગામ પરેઉમાં સંત પરંપરા મુજબ તેમને સમાધિ આપવામાં આવી હતી.
પિતાના દાવા અને ભક્તોની શંકા :
સાધ્વીના પિતા વિરમનાથના જણાવ્યા અનુસાર, તેમને માત્ર સામાન્ય શરદી હતી. જોધપુરના આશ્રમમાં એક ઇન્જેક્શન આપ્યા બાદ તેમની તબિયત લથડી હતી. જોકે, સોશિયલ મીડિયા પર સક્રિય ભક્તોએ પિતાની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. શરૂઆતમાં પિતાએ પોસ્ટમોર્ટમ કરાવવાની મનાઈ કરી હતી, પરંતુ પોલીસની સમજાવટ બાદ તેઓ તૈયાર થયા હતા.
વીડિયો વાયરલ અને બ્લેકમેઇલિંગનો વિવાદ :
આ ઘટના સાથે સાધ્વી સાથે જોડાયેલો જૂનો વિવાદ ફરી સપાટી પર આવ્યો છે. જુલાઈ 2025માં સાધ્વીનો એક વીડિયો વાયરલ થયો હતો, જેને કેટલાક લોકોએ અશ્લીલ ગણાવી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. સાધ્વીએ આ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી, જેમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વીડિયોમાં દેખાતી વ્યક્તિ તેમના પિતા છે અને તે ફૂટેજ સીસીટીવીમાંથી ચોરી કરીને એડિટ કરવામાં આવ્યા હતા. આ કેસમાં અગાઉ જોગેન્દ્ર અને અન્ય સાથીઓની ધરપકડ પણ થઈ હતી.
સુસાઈડ નોટમાં વેદના છતી થઈ :
સાધ્વીના અવસાન બાદ એક કથિત સુસાઈડ નોટ સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં તેમણે લખ્યું છે કે તેમણે દેશના મહાન સંતો પાસે પોતાની સચ્ચાઈ સાબિત કરવા અગ્નિપરીક્ષાની માંગ કરી હતી. ભગવા પર લાગેલા કલંકને સાફ કરવાની ઈચ્છા અને સામાજિક બદનામીની વેદના તેમની નોંધમાં સ્પષ્ટ દેખાઈ રહી છે. હાલ પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.