રામ રહીમને ફરી 'આઝાદી': 40 દિવસના પેરોલ મંજૂર
બળાત્કાર અને હત્યાના દોષિત ડેરા ચીફ જેલની બહાર આવશે; પાંચ મહિનામાં બીજી વાર પેરોલ મંજુર..

રામ રહીમને 40 દિવસના પેરોલ મંજૂર

રામ રહીમને 40 દિવસના પેરોલ મંજૂર
ડેરા સચ્ચા સૌદાના વડા અને સાધ્વીઓના યૌન શોષણ તેમજ પત્રકારની હત્યાના દોષિત ગુરમીત રામ રહીમને ફરી એકવાર 40 દિવસના પેરોલ મંજૂર કરવામાં આવ્યા છે. રોહતક ડિવિઝનલ કમિશનર દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે, જેને પગલે રામ રહીમ રવિવાર અથવા સોમવાર સુધીમાં સુનારિયા જેલમાંથી બહાર આવી શકે છે.
વારંવાર મળતા પેરોલ ચર્ચાના કેન્દ્રમાં
ઉલ્લેખનીય છે કે, રામ રહીમને પોતાની સજા દરમિયાન અત્યાર સુધીમાં આ ૧૫મી વખત પેરોલ અથવા ફર્લો પર જેલમાંથી મુક્તિ મળી રહી છે. અગાઉ ઓગસ્ટ 2025માં તેને 40 દિવસના પેરોલ મળ્યા હતા, જે દરમિયાન તેણે પોતાનો 58મો જન્મદિવસ ઉજવ્યો હતો.
માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં ફરી એકવાર તેને જેલની બહાર આવવાની મંજૂરી મળતા કાયદાકીય અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે.
ગંભીર ગુનાઓની સજા
ગુરમીત રામ રહીમ બે શિષ્યાઓ પર બળાત્કાર ગુજારવા બદલ 20 વર્ષની કેદની સજા ભોગવી રહ્યો છે. આ ઉપરાંત, પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં પણ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. ગંભીર ગુનાઓમાં દોષિત ઠર્યા હોવા છતાં તેને વારંવાર પેરોલ મળતા રહેતા હોવાથી સામાજિક કાર્યકરો અને પીડિત પરિવારોમાં અસંતોષ જોવા મળ્યો છે.
પેરોલના નિયમો
આ 40 દિવસ દરમિયાન રામ રહીમ ક્યાં રોકાશે અને તેના પર કયા નિયમો લાગુ પડશે તે જેલ પ્રશાસન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે પેરોલ દરમિયાન તે ઉત્તર પ્રદેશના બરનાવા આશ્રમમાં રોકાતો હોય છે.
આ સમયગાળા દરમિયાન તે સોશિયલ મીડિયા કે સભા દ્વારા પોતાના અનુયાયીઓને સંબોધન કરશે કે કેમ તેના પર સુરક્ષા એજન્સીઓની બાજ નજર રહેશે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.