નોઈડા: 17મા માળેથી પટકાતા સિનિયર ઓફિસરનું મોત
નોઈડામાં પ્રખ્યાત સોસાયટીમાં રહેતા સિનિયર ઓફિસરના રહસ્યમય મોતથી કોહરામ, પોલીસ તપાસ ચાલુ

સિનિયર ઓફિસરનું પટકાતાં મોત

સિનિયર ઓફિસરનું પટકાતાં મોત
નોઈડાના સેક્ટર 104માં આવેલી પ્રખ્યાત એટીએસ વન હેમ્લેટ સોસાયટીમાં શનિવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના ઘટી છે. એક જાણીતી કંપનીમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા અજય ગર્ગનું 17મા માળેથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે.
આ ઘટના સવારે 10:20 વાગ્યાની આસપાસ બની હતી, જેનાથી સમગ્ર સોસાયટી અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ એક અકસ્માત હોઈ શકે છે. પોલીસના જણાવ્યા મુજબ, ફ્લેટની અંદર મોબાઈલ સિગ્નલ નબળા હોવાથી અજય ગર્ગ કદાચ કોઈની સાથે વાત કરવા અથવા વધુ સારા નેટવર્કની શોધમાં બાલકનીમાં ગયા હશે અને ત્યાંથી સંતુલન ગુમાવતા નીચે પટકાયા હોઈ શકે છે. જોકે, હજુ સુધી આ બાબતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
આત્મહત્યા કે અકસ્માત?
બનાવ સમયે અજય ગર્ગ ઘરે તેમની પત્ની સાથે હતા, જ્યારે તેમનો પુત્ર મુંબઈમાં નોકરી કરે છે. સ્થાનિકોમાં આ ઘટના આત્મહત્યા હોવાની પણ ચર્ચા ચાલી રહી છે, પરંતુ પોલીસે હજુ સુધી કોઈ પણ શક્યતાને નકારી નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સોસાયટીના સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી છે જેથી ખબર પડી શકે કે તેઓ કયા સંજોગોમાં નીચે પડ્યા.
તપાસનો ધમધમાટ
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે અજય ગર્ગના મોબાઈલ કોલ રેકોર્ડ્સ અને પરિવારના સભ્યોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને સીસીટીવી ફૂટેજના વિશ્લેષણ બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલમાં પોલીસે અકસ્માતે મોતે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.