મદ્રેસાએ બાળકી પાસે માંગ્યું વર્જિનિટી સર્ટિફિકેટ
મદ્રેસાએ 13 વર્ષની સગીરાને આઠમા ધોરણમાં પ્રવેશ આપવા માટે વર્જિનિટી ટેસ્ટ કરાવવાનું કહ્યું

13 વર્ષની સગીરા પાસે માંગ્યું વર્જિનિટી સર્ટિફિકેટ

13 વર્ષની સગીરા પાસે માંગ્યું વર્જિનિટી સર્ટિફિકેટ
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આવેલા જામિયા અસાનુલ બનાત ગર્લ્સ કોલેજ દ્વારા 13 વર્ષની એક માસૂમ વિદ્યાર્થીનીના પરિવાર પર અમાનવીય શરત લાદીને ભારે ચકચાર મચાવી દીધી છે. સાતમા ધોરણમાં અભ્યાસ કરતી આ સગીરાને આઠમા ધોરણમાં પ્રવેશ આપવા માટે મદ્રેસાના મેનેજમેન્ટે તેના પરિવાર પાસે 'વર્જિનિટી ટેસ્ટ' કરાવવાની શરત મૂકી હતી. આ અમાનવીય અને શરમજનક માંગણીથી પીડિત બાળકીના પિતા અને પરિવાર આઘાતમાં સરી પડ્યા છે અને તાત્કાલિક પોલીસમાં ફરિયાદ નોંધાવી.
બાળકીના પિતાએ ફરિયાદ કરી
પીડિત બાળકીના પિતા મોહમ્મદ યુસુફ, જેઓ ચંદીગઢમાં રહે છે, તેમણે 14 ઓક્ટોબરના રોજ ASP મુરાદાબાદને લેખિત ફરિયાદ આપી હતી. તેમણે પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, મદ્રેસાના મેનેજમેન્ટે તેમની પુત્રીના ચારિત્ર્યનું હનન કર્યું છે. પરિવારજનો જ્યારે બાળકીને ફરીથી પ્રવેશ અપાવવા પહોંચ્યા, ત્યારે મદ્રેસા પ્રશાસને ચોંકાવનારી વાત કહી કે, "પહેલા બાળકીનો વર્જિનિટી ટેસ્ટ કરાવો, તો જ તેને આગામી ધોરણમાં પ્રવેશ મળશે." પરિવારે આ માંગણીનો સખત વિરોધ કરતાં મદ્રેસા પ્રશાસને તેમની સાથે અભદ્ર વ્યવહાર કર્યો અને તેમને પરિસરમાંથી બહાર કાઢી મૂક્યા.
આ પણ વાંચો: મદરેસાઓમાં ભણાવાશે ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, વક્ફ બોર્ડના અધ્યક્ષે કર્યું સમર્થન
માંગણીને નૈતિક રીતે ખોટી અને ગેરકાયદે ગણાવી
પિતા મોહમ્મદ યુસુફે પોલીસને વધુમાં જણાવ્યું કે, મદ્રેસા એ આઠમા ધોરણ માટે એક ટ્રાન્સફર સર્ટિફિકેટ ફોર્મેટ પણ આપ્યું હતું, જેમાં સ્પષ્ટપણે લખ્યું હતું કે, મેડિકલ ટેસ્ટ ફરજિયાત છે. તેમણે આ માંગણીને નૈતિક રીતે ખોટી અને ગેરકાયદે ગણાવી છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે, કોઈપણ સંસ્થાને કોઈ વિદ્યાર્થીનીની મર્યાદા પર સવાલ ઉઠાવવાનો કોઈ હક નથી. આ ઘટનાને કારણે આખી પરિવારને માનસિક આઘાત લાગ્યો છે.
મદ્રેસા મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી થશે
આ ગંભીર ફરિયાદને પગલે ASP સિટી કુમાર રણવિજય સિંહે કહ્યું છે કે, "પરિવારની ફરિયાદ પર ગંભીરતાથી તપાસ ચાલી રહી છે. આરોપો સાબિત થશે તો મદ્રેસા મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે." પોલીસ દ્વારા મદ્રેસા મેનેજમેન્ટ વિરુદ્ધ FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પીડિત પરિવારે માંગ કરી છે કે, આ પ્રકારની ઘટનાઓ સમાજમાં દીકરીઓ પ્રત્યે ગંદી માનસિકતાને પ્રોત્સાહન આપે છે, તેથી મેનેજમેન્ટ પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. વરિષ્ઠ અધિવક્તા હર્ષ શર્માના મતે, સગીર બાળકી પાસે વર્જિનિટી ટેસ્ટની માંગણી ભારતીય ન્યાય સંહિતાની કલમ 73 અને પોક્સો એક્ટ હેઠળ એક ગંભીર અપરાધ છે, જે માનસિક ઉત્પીડન અને ગોપનીયતાના ઉલ્લંઘનની શ્રેણીમાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...