માધુરી હાથણીઃ કોલ્હાપુરનો જીવદયા પ્રેમ!
PETA અનુસાર, તેણીને કોંક્રિટના ફ્લોર પર સાંકળોમાં બાંધીને રાખવામાં આવતી હતી, જેના કારણે...
સુપ્રીમ કોર્ટે માધુરીને વન્યજીવન પુનર્વસન કેન્દ્ર 'વનતારા' માં મોકલવાનો આદેશ કરતાં લોકોમાં રોષ
સુપ્રીમ કોર્ટે માધુરીને વન્યજીવન પુનર્વસન કેન્દ્ર 'વનતારા' માં મોકલવાનો આદેશ કરતાં લોકોમાં રોષ
આજના સમયમાં, લોકો ઘણીવાર વૃદ્ધ માતા પિતાથી નારાજ થઈને તેમને વૃદ્ધાશ્રમમાં છોડી દે છે, પરંતુ મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં હજારો લોકો બીમાર હાથણી, "માધુરી" ને પાછી લાવવા રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે. જીવદયા માટે લોકોની મોટી રેલી, શું ગાય, કૂતરા અને અન્ય પ્રાણીઓ દરરોજ રસ્તાઓ પર અકસ્માતોમાં મૃત્યુ પામતા નથી? આ પ્રશ્ન સમાજની પ્રાથમિકતાઓ અને સંવેદનશીલતાને ઊંડી ઠેસ પહોંચાડે છે. ચાલો જાણીએ કે માધુરી હાથણીનો કિસ્સો શું છે?
હજારો લોકો કોલ્હાપુરના રસ્તાઓ પર તેમની પ્રિય હાથણી માધુરી (જેને મહાદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે) ને પરત કરવાની માંગણી સાથે બહાર આવ્યા. 36 વર્ષની હાથણી છેલ્લા 33 વર્ષથી શિરોલ તાલુકાના નંદની જૈન મઠમાં હતી અને તે ફક્ત સ્થાનિક લોકો માટે એક પ્રાણી નહોતી, પરંતુ તેમની સાંસ્કૃતિક અને ધાર્મિક લાગણીઓનો એક ભાગ હતી. તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદામાં આ હાથણીને વન્યજીવન પુનર્વસન કેન્દ્ર 'વનતારા'માં ટ્રાન્સફર કરવાનો આદેશ આપવામાં આવ્યો, જેના પછી કોલ્હાપુરમાં વિરોધનો માહોલ ફાટી નીકળ્યો.
શું છે માધુરીનો સમગ્ર મામલો?
માધુરીને ત્રણ વર્ષની ઉંમરે કર્ણાટકથી કોલ્હાપુરના જૈન મઠમાં લાવવામાં આવી હતી. છેલ્લા 33 વર્ષથી, તે મઠમાં રહેતી હતી, જ્યાં તેણીને ધાર્મિક કાર્યક્રમો અને મીરાંનુકમાં સામેલ કરવામાં આવતી હતી. પરંતુ પ્રાણી અધિકાર સંગઠન PETA (પીપલ ફોર ધ એથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ્સ) એ દાવો કર્યો હતો કે માધુરીની યોગ્ય રીતે કાળજી લેવામાં આવતી નહોતી. PETA અનુસાર, તેણીને કોંક્રિટ ફ્લોર પર સાંકળોમાં બાંધીને રાખવામાં આવી હતી. જેના કારણે તેણીને સંધિવા, પગ સડવા અને માનસિક તણાવ જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હતો.
વર્ષ 2017 માં પરિસ્થિતિ વધુ ગંભીર બની જ્યારે માધુરીએ માનસિક તણાવને કારણે મઠના મુખ્ય પૂજારીની હત્યા કરી. આ પછી, PETA અને ફેડરેશન ઓફ ઇન્ડિયન એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન (FIAPO) એ આ મામલે હસ્તક્ષેપ કર્યો અને માધુરીને અભયારણ્યમાં સ્થાનાંતરિત કરવાની માંગ કરી. સુપ્રીમકોર્ટની હાઇ પાવર કમિટી (HPC) એ માધુરીની સ્થિતિનું વિશ્લેષણ કર્યું અને શોધી કાઢ્યું કે તેણીને ગ્રેડ 4 સંધિવા, પગમાં ગંભીર ચેપ અને એકલતાને કારણે માનસિક તણાવ છે. તેના આધારે, મુંબઈ હાઇકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટે 28 જુલાઈ 2025 ના રોજ માધુરીને ‘વનતારા’ મોકલવાનો આદેશ આપ્યો.
કોલ્હાપુરમાં જાહેર વિરોધ અને ભાવનાત્મક જોડાણ
તે જ સમયે, સુપ્રીમ કોર્ટના ચુકાદાથી કોલ્હાપુરના લોકોમાં રોષ ફેલાયો. નંદનીથી કોલ્હાપુર જિલ્લા કલેક્ટર કચેરી સુધી 45 કિમી લાંબી શાંતિપૂર્ણ મૌન રેલી કાઢવામાં આવી. જેમાં હજારો લોકોએ ભાગ લીધો. આ કૂચમાં સાધુ, સંતો, સાંસદો, ધારાસભ્યો અને સામાન્ય નાગરિકોએ જોડાયા. વિરોધીઓએ 'માધુરી પરત આપો' અને 'જીઓ બોયકોટ' શબ્દોવાળી ટોપીઓ પહેરી હતી અને તેમની શ્રદ્ધા વ્યક્ત કરવા માટે હાથણીની પ્રતિમાઓ અને બેનરો લઈ ગયા હતા.
સ્થાનિક નેતા અને સ્વાભિમાની શેતકરી સંગઠનના વડા રાજુ શેટ્ટીએ કહ્યું, "માધુરીને મઠમાં પાછી લાવવી તે જ ન્યાય હશે. આ 1200 વર્ષ જૂના મઠની પરંપરાનું અપમાન છે." લોકો કહે છે કે માધુરી તેમના માટે માત્ર હાથી નહોતી, પરંતુ પરિવારનો એક ભાગ હતી. તેની સૂંઢને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવતી હતી, અને તેનું વિદાય ગ્રામજનો માટે ભાવનાત્મક ફટકો છે.
માનવ-હાથી સંઘર્ષ: ઓડિશા વિરુદ્ધ મહારાષ્ટ્ર
હવે આ વાર્તા એક રસપ્રદ વિડંબનાને ઉજાગર કરે છે. એક તરફ એક અઠવાડિયાથી ઓડિશામાં હાથીઓનું એક જૂથ હિંસક બન્યું છે. જેના કારણે લોકો પોતાનો જીવ બચાવવા માટે છત પર આશ્રય લઈ રહ્યા છે. તો બીજી તરફ, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં, લોકો હાથીનો જીવ બચાવવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. ઓડિશામાં માનવ-હાથી સંઘર્ષે ઘણા ગામોમાં ગભરાટ ફેલાવ્યો છે. જ્યાં માદા હાથી પાકનો નાશ કરી રહી છે અને લોકોના જીવનને જોખમમાં મૂકી રહી છે. તેનાથી વિપરીત, કોલ્હાપુરના લોકો માધુરી માટે ભાવનાત્મક અને કાનૂની લડાઈ લડી રહ્યા છે. જે તેમના માટે પરિવાર જેવી હતી.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.