કાશ્મીર: ઉરીમાં ભયાનક ભૂસ્ખલન, હાઇવે ઠપ્પ
શ્રીનગર-બારામુલ્લા નેશનલ હાઇવે પર પહાડ તૂટી પડતા સેંકડો મુસાફરો અટવાયા

ઉરી ભૂસ્ખલન

ઉરી ભૂસ્ખલન
જમ્મુ-કાશ્મીરના ઉરીમાં પહાડ ધસી પડ્યો: નેશનલ હાઇવે પર કાટમાળ પડતા વાહનોની લાંબી કતાર
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરીમાં એક ભયાનક ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને કારણે શ્રીનગર-બારામુલ્લા-ઉરી રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-1) પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. પહાડનો એક વિશાળ હિસ્સો અચાનક ધરાશાયી થતાં હાઇવે પર મોટા પથ્થરો અને કાટમાળ જમા થઈ ગયો હતો, જેના કારણે બંને તરફ મુસાફરો અટવાઈ પડ્યા હતા.
અચાનક પથ્થરો પડતા મુસાફરોમાં ગભરાટ :
જ્યારે આ ઘટના બની ત્યારે ધોરીમાર્ગ પર અનેક વાહનો પસાર થઈ રહ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પર્વત પરથી પથ્થરો પડવાનું શરૂ થતા જ વાહનચાલકોમાં નાસભાગ મચી ગઈ હતી. ધૂળના વાદળો અને પથ્થરોના અવાજ વચ્ચે લોકોએ પોતાના વાહનો અધવચ્ચે છોડીને સુરક્ષિત સ્થાને દોડવું પડ્યું હતું. સદનસીબે, સમયસૂચકતા વાપરતા અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ :
ઘટનાની જાણ થતા જ બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) અને સ્થાનિક પોલીસની ટીમો જેસીબી જેવી ભારે મશીનરી સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. રસ્તા પરથી કાટમાળ અને મોટા પથ્થરો હટાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે. જોકે, હજુ પણ પહાડ પરથી પથ્થરો પડવાનું જોખમ હોવાથી ટ્રાફિક શરૂ કરવામાં સાવચેતી રાખવામાં આવી રહી છે.
સૈન્ય અને પરિવહન પર અસર :
આ હાઇવે લશ્કરી વાહનો અને લોજિસ્ટિક્સ માટે અત્યંત મહત્વનો ગણાય છે, જેના કારણે તેને વહેલી તકે શરૂ કરવા પ્રયાસો થઈ રહ્યા છે. વહીવટીતંત્રે મુસાફરોને હાલ આ માર્ગ પર મુસાફરી ન કરવા અને વૈકલ્પિક રસ્તાઓનો ઉપયોગ કરવા અપીલ કરી છે. પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોમાં હાલ આ ઘટનાને પગલે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.