કાશ્મીરમાં 35 વર્ષ બાદ સરલા ભટ્ટ હત્યા કેસમાં તપાસ
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA)એ યાસીન મલિકના ઘર સહિત 8 સ્થળોએ દરોડા પાડ્યા
વર્ષ 1990માં કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટનું હોસ્ટેલમાંથી અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી
વર્ષ 1990માં કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટનું હોસ્ટેલમાંથી અપહરણ કરી હત્યા કરવામાં આવી હતી
વર્ષ 1990માં કાશ્મીરી પંડિત નર્સ સરલા ભટ્ટની હત્યા મામલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ શ્રીનગરમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા. JKLFના પૂર્વ વડા યાસીન મલિકના નિવાસસ્થાન અને ઘણા પૂર્વ કમાન્ડરોના ઠેકાણાઓ પર તપાસ કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ ગવર્નરે 35 વર્ષ જૂનો કેસ ફરીથી ખોલવાનો નિર્ણય લીધા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ તપાસ શરૂ કરી છે,
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (SIA) એ મંગળવારે શ્રીનગરમાં 8 સ્થળોએ દરોડા પાડ્યા હતા. નર્સ સરલા ભટ્ટની હત્યા મામલે કાર્યવાહી કરવામાં આવી છે. શ્રીનગરના મૈસુમા વિસ્તારમાં જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના ભૂતપૂર્વ વડા યાસીન મલિકના નિવાસસ્થાને દરોડા પાડવામાં આવ્યા છે. JKLF ના આતંકવાદીઓ યાસીન મલિક, જાવેદ નાલકા, પીર નૂર ઉલ હક શાહ, અબ્દુલ હમીદ શેખ, બશીર અહેમદ ગોજરી, ફિરોઝ અહેમદ ખાન અને ગુલામ મોહમ્મદ ટપલૂના ઘરનો તેમાં સમાવેશ થાય છે.
નર્સ સરલા ભટ્ટનું એપ્રિલ-1990માં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીનો ગોળીઓથી વિંધાયેલો મૃતદેહ બીજા દિવસે શ્રીનગરના સૌરા વિસ્તારમાંથી મળ્યો હતો. તે શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની હોસ્ટેલમાં રહેતી હતી. ત્યાંથી તેણીનું અપહરણ થયું હતું. નિગીન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને બાદમાં કેસ SIAમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. JKLFના પૂર્વ નેતા પીર નૂરુલ હક શાહ ઉર્ફે એર માર્શલની તેમાં સંડોવણી ખુલી હતી.
શું હતો સમગ્ર મામલો?
કાશ્મીર આતંકવાદ અને અલગતાવાદની આગમાં સળગી રહ્યું હતું ત્યારે સરલા ભટ્ટની હત્યા કરવામાં આવી હતી. સરલા ભટ્ટ કાશ્મીરના અનંતનાગના રહેવાસી હતા.. કાશ્મીરી પંડિત પરિવારમાં જન્મેલી સરલાએ નર્સિંગનો વ્યવસાય પસંદ કર્યો. શ્રીનગરની શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (SKIMS) માં નર્સ તરીકે કામ કરતા સરલા સૌમ્ય સ્મિત અને દર્દીઓ પ્રત્યેના સમર્પણ માટે જાણીતા હતા.
સરલા ભટ્ટે જે સમાજની સેવા કરવાની જવાબદારી લીધી હતી તે એક સમયે કાશ્મીરીયતની પરંપરા માટે જાણીતું હતું. પરંતુ તે આતંકવાદનો યુગ હતો. પાકિસ્તાનના આશ્રય હેઠળ કાશ્મીરમાં આતંકવાદ માથું ઉંચકી રહ્યો હતો. આતંકવાદીઓએ સ્પષ્ટપણે હિન્દુઓને ખીણ છોડી દેવા ધમકી આપી હતી. આતંકવાદીઓનું સૂત્ર હતું, ‘રાલીવ, ગાલીવ અથવા ચાલીવ’, એટલે કે, તમે ધર્મ પરિવર્તન કરો, ભાગી જાઓ અથવા મરવા માટે તૈયાર રહો.
મસ્જિદોમાંથી હિન્દુઓને ધમકી આપવામાં આવી રહી હતી કે, તેઓ કાં તો પોતાનું ધર્મ પરિવર્તન કરે અથવા રાતોરાત કાશ્મીર છોડી દે, તેઓ અહીં રહેશે તો મારી નાખવામાં આવશે. કાશ્મીરી હિન્દુઓના ઘરની બહાર આવા પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા.
સરલા ભટ્ટ હિન્દુ હોવાથી આતંકવાદીઓની નજર લાંબા સમયથી સરલા ભટ્ટ પર હતી. અબ્દુલ અહદ ગુરુ અને JKLF ડેપ્યુટી કમાન્ડર હમીદ શેખ હોસ્પિટલમાં સક્રિય હતા. બંનેને શંકા હતી કે સરલા પોલીસ બાતમીદાર છે. આ આતંકવાદીઓ વારંવાર સરલાને નોકરી છોડી દેવાની ધમકી આપી રહ્યા હતા.
14 એપ્રિલ, 1990 ના રોજ, જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટ (JKLF) ના આતંકવાદીઓએ સરલા ભટ્ટનું હોસ્પિટલની હોસ્ટેલમાંથી અપહરણ કર્યું. ત્યારબાદ, આતંકવાદીઓ તેમને અજાણ્યા સ્થળે લઈ ગયા. ત્યાં ક્રૂર લોકોએ સરલા ભટ્ટ પર ચાર દિવસ સુધી સામૂહિક બળાત્કાર કર્યો. તેના પર સામૂહિક બળાત્કાર કર્યા બાદ જેહાદીઓએ સરલા ભટ્ટને અમાનવીય રીતે કાપીને હત્યા કરી હતી.
ચાર દિવસ સુધી, સરલાનો પરિવાર પુત્રીના સમાચાર માટે તડપતા રહ્યા. પરંતુ કોઈ પત્તો લાગ્યો નહીં. છેવટે, 19 એપ્રિલના રોજ શ્રીનગર શહેરના મધ્યમાં યુવતીનો મૃતદેહ મળી આવ્યો. વિકૃત હાલતમાં, શરીર પર ગોળીઓના નિશાન, લોહી વહેતું હતું અને ઘાવ ક્રૂર ત્રાસના પુરાવા આપતા હતા. આ મૃતદેહ 25 વર્ષીય કાશ્મીરી પંડિત સરલા ભટ્ટનો હતો. મૃતદેહની નજીક હાથથી લખેલી ચિઠ્ઠી મળી હતી. જેમાં આતંકવાદીઓએ સરલાને 'પોલીસ બાતમીદાર' કહી હતી.
આતંકવાદીઓ આટલેથી અટક્યા નહોતા, સરલાનો પરિવાર તેના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જઈ રહ્યો હતો. ત્યારે આતંકવાદીઓએ પરિવાર પર બોમ્બથી હુમલો કર્યો હતો.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.