હોમવર્ક બરાબર ન કરતા પિતાએ પુત્રીને મારી નાખી
1 થી 50 સુધી અંક ન લખી શકતા પિતાએ વેલણના ફટકા મારી દીકરીનો જીવ લીધો, પોલસે ધરપકડ કરી

પિતાએ પુત્રીને મારી નાખી

પિતાએ પુત્રીને મારી નાખી
હરિયાણાના ફરીદાબાદમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક પિતાએ માત્ર ગણિતનું હોમવર્ક ન કરવા બદલ પોતાની 4 વર્ષની માસૂમ દીકરીની નિર્મમ હત્યા કરી નાખી છે. અભ્યાસના નામે પિતાએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી અને દીકરીના મોતના સમાચારને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.
ગણિતના અંક ન લખતા ગુસ્સે ભરાયો પિતા:
બલ્લભગઢના સેક્ટર ૫૮માં રહેતા 31 વર્ષીય કૃષ્ણા જયસ્વાલે તેની દીકરી વંશિકાને 1થી 50 સુધીના અંક લખવા માટે આપ્યા હતા. માસૂમ વંશિકા આ હોમવર્ક બરાબર કરી શકી નહીં, જેનાથી કૃષ્ણા એટલો ગુસ્સે ભરાયો કે તેણે વેલણ વડે દીકરીને ઢોર માર માર્યો. એટલું જ નહીં, તેણે માસૂમને જમીન પર જોરથી પછાડી હતી, જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી.
અકસ્માતનું નાટક અને પુત્રની સાક્ષી:
દીકરીને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જતી વખતે પિતાએ ડોક્ટરોને ખોટું કહ્યું કે તે સીડી પરથી પડી ગઈ છે. સારવાર દરમિયાન વંશિકાનું મોત થયું હતું. હત્યારો પિતા આ ગુનાને છુપાવી રહ્યો હતો, પરંતુ તેનો 6 વર્ષનો પુત્ર આ સમગ્ર અત્યાચારનો સાક્ષી હતો. જ્યારે માતા નોકરી પરથી ઘરે આવી ત્યારે પુત્રએ પિતાની કરતૂત જણાવી દીધી હતી.
માતાની હિંમત અને પોલીસ કાર્યવાહી:
પોતાની લાડકી દીકરીની હત્યા થઈ હોવાની જાણ થતા જ માતા રંજીતાએ હિંમત દાખવી મોડી રાત્રે પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસે 6 વર્ષના પુત્રના નિવેદન અને પત્નીની ફરિયાદના આધારે ગુરુવારે કૃષ્ણા જયસ્વાલની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાએ ફરી એકવાર વાલીઓમાં બાળકોના શિક્ષણ પ્રત્યે વધી રહેલા વિકૃત તણાવ સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.