ઉત્તરાખંડમાં આફત: ગુજરાતના 10 યાત્રાળુઓનું રસ્ક્યુ
ઉત્તરાખંડમાં આફત વચ્ચે ભારતીય સેનાએ ગુજરાતના 10 યાત્રાળુઓનું સુરક્ષિત રેસ્ક્યુ કર્યું
ઉત્તરાખંડમાં ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ
ઉત્તરાખંડમાં ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ
બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ચિચોદરા ગામના 10 યાત્રાળુઓ ધાર્મિક યાત્રા માટે ઉત્તરાખંડ ગયા હતા. 5 ઓગસ્ટના રોજ ધરાલીમાં વાદળ ફાટવાની ઘટના બાદ તેમનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. બે દિવસ સુધી કોઈ સંપર્ક ન થતાં તેમના પરિવારોની ચિંતા વધી ગઈ હતી. જોકે, 7 ઓગસ્ટના રોજ બપોરે 4 વાગ્યે ફરીથી સંપર્ક થતાં અને વીડિયો કોલ દ્વારા વાતચીત થતાં પરિવારોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ભારતીય સેનાએ 11માંથી 10 યાત્રાળુઓને હેલિકોપ્ટર દ્વારા આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢીને ઋષિકેશ પહોંચાડ્યા છે. હવે તેઓ બનાસકાંઠા પરત ફરી રહ્યા છે. અન્ય એક યાત્રાળુએ સ્વેચ્છાએ પોતાની યાત્રા ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે.
રાહત અને બચાવ કાર્ય પૂરજોશમાંધરાલીમાં વાદળ ફાટવાને કારણે રસ્તાઓ અને સંચાર વ્યવસ્થાને ગંભીર નુકસાન થયું છે. આ પરિસ્થિતિમાં ભારતીય સેનાએ તાત્કાલિક સેટેલાઇટ અને રેડિયો રિલે સિસ્ટમ ગોઠવીને ફસાયેલા યાત્રાળુઓ અને તેમના પરિવારો વચ્ચે સેટેલાઇટ ઇન્ટરનેટ દ્વારા સંપર્ક સ્થાપિત કર્યો છે.
આ ઉપરાંત, સેનાની એન્જિનિયર રેજિમેન્ટ દ્વારા ધારાલી અને મુખવા ગામ વચ્ચે રસ્તાની પુનઃસ્થાપના માટે પણ સમારકામનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઉત્તરકાશી પોલીસના જણાવ્યા મુજબ, ભારતીય સેના, ભારત-તિબેટ સરહદી પોલીસ (ITBP), રાજ્ય આપત્તિ પ્રતિભાવ બળ (SDRF), રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ બળ (NDRF), સ્થાનિક પોલીસ, ફાયર વિભાગ અને મહેસૂલ વિભાગની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા માતલીમાં આવેલા ITBP કેમ્પ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે, અને જ્યાં સુધી આખો વિસ્તાર ખાલી ન થઈ જાય ત્યાં સુધી આ અભિયાન ચાલુ રહેશે.
આપત્તિની આ ઘડીમાં ભારતીય સેનાની ઝડપી અને અસરકારક કામગીરીએ અનેક લોકોના જીવ બચાવીને ફરી એકવાર પોતાની કર્તવ્યનિષ્ઠાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.