ધનતેરસ: સોનાના ભાવમાં એક વર્ષમાં 60% નો ઉછાળો!
ગયા વર્ષની સરખામણીએ સોનું ₹53,490 મોંઘું થયું; રોકાણકારોને 55% થી વધુ નફો.

રોકાણનો સૌથી સફળ વિકલ્પ સાબિત

રોકાણનો સૌથી સફળ વિકલ્પ સાબિત
દિવાળીના પવિત્ર તહેવારોની શરૂઆત ધનતેરસના શુભ દિવસથી થઈ ચૂકી છે, અને પરંપરા મુજબ આજના દિવસે સોનાની ખરીદીનું વિશેષ મહત્વ હોય છે. જોકે, આ ધનતેરસ (18મી ઓક્ટોબર) પર સોનાના ભાવે રોકાણકારોને આશ્ચર્યચકિત કર્યા છે. ગયા વર્ષની ધનતેરસની સરખામણીમાં આ વર્ષે સોનાની કિંમતમાં 60 ટકાથી પણ વધુનો જંગી વધારો જોવા મળ્યો છે, જેના કારણે સોનું રોકાણ માટેનો સૌથી સફળ વિકલ્પ સાબિત થયો છે.
એક વર્ષમાં ₹53,490નો ભાવ વધારો
સોનાની કિંમતમાં થયેલો ઉછાળો ચોંકાવનારો છે. ગયા વર્ષે ધનતેરસ, 2024ના દિવસે 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ ₹80,510 હતી. તેની સામે આ ધનતેરસ, 2025ના દિવસે સોનાનો ભાવ લગભગ ₹1,34,000ની આસપાસ પહોંચી ગયો છે. આ આંકડા દર્શાવે છે કે માત્ર એક વર્ષના ગાળામાં સોનાના ભાવમાં 60 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે.
જો કોઈ રોકાણકારે ગયા વર્ષે ધનતેરસના શુભ મુહૂર્તમાં ₹1 લાખનું સોનું ખરીદ્યું હશે, તો આ ધનતેરસ સુધીમાં તેને ₹55,000થી વધુનો જંગી નફો થયો છે.
રોકાણકારો માટે ગોલ્ડ બન્યું 'સોનાની ખાણ'
છેલ્લા પાંચ વર્ષના આંકડા જોઈએ તો સોનાએ સતત સકારાત્મક વળતર આપ્યું છે. તાજેતરના નાણાકીય વર્ષ 2024-25માં સોનાનું વળતર 55 ટકા પર પહોંચી ગયું છે. તેની સરખામણીમાં નિફ્ટી 50 જેવા બેન્ચમાર્કનું રિટર્ન માત્ર 3.5 ટકા જેટલું જ રહ્યું છે. ભલે શેરબજારમાં રોકાણકારોની સંખ્યા વધતી હોય, પરંતુ હાલના સંજોગોમાં ગોલ્ડનું રિટર્ન અનેક ગણું વધારે સાબિત થયું છે.
સોનાની કિંમતોમાં આટલો મોટો ઉછાળો હોવા છતાં, બજારમાં તેની માંગ જળવાઈ રહી છે. વર્ષ 2025માં જથ્થાની દ્રષ્ટિએ વેચાણ ઓછું હોવા છતાં, કુલ મૂલ્યની દ્રષ્ટિએ 15થી 20 ટકાનો ઉછાળો દેખાઈ રહ્યો છે, જે ભારતીય રોકાણકારો માટે સોનાનું મહત્વ દર્શાવે છે.
વૈશ્વિક અનિશ્ચિતતા અને કેન્દ્રીય બેન્કોની ખરીદી જવાબદાર
સોનાના ભાવમાં આટલો મોટો ઉછાળો આવવા પાછળ વૈશ્વિક બજારની અનિશ્ચિતતા અને કેન્દ્રીય બેન્કો દ્વારા કરવામાં આવતી સતત ખરીદી મુખ્ય કારણો છે. રિઝર્વ બેન્ક સહિત વિશ્વભરની કેન્દ્રીય બેન્કો મોટા પાયે સોનાની ખરીદી કરી રહી છે (જેમ કે ગત વર્ષે 1,180 ટન સોનાની ખરીદી), જેના કારણે સોનાની માંગ અને કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...