SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ કરવાની માંગ SCમાં
સુપ્રીમ કોર્ટમાં SC/ST અનામતમાં ‘ક્રીમી લેયર’ લાગુ કરવાની માંગ

કેન્દ્ર-રાજ્યોને નોટિસ, જવાબ માંગ્યો

કેન્દ્ર-રાજ્યોને નોટિસ, જવાબ માંગ્યો
સુપ્રીમ કોર્ટે SC/ST અનામતમાં ‘ક્રીમી લેયર’ (આર્થિક રીતે સધ્ધર વર્ગ) લાગુ કરવાની માંગ સાથે દાખલ કરાયેલી જનહિત અરજી (PIL) પર સુનાવણી હાથ ધરી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમાલ્યા બાગચીની બેન્ચે કેન્દ્ર સરકાર તેમજ તમામ રાજ્ય સરકારોને નોટિસ જારી કરી તેમનો જવાબ માંગ્યો છે. આ અરજી ભાજપના વરિષ્ઠ નેતા તેમજ વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવી છે.
અરજીનો મુખ્ય હેતુ અરજીમાં દલીલ કરવામાં આવી છે કે અનામતનો લાભ ફક્ત તે જ વર્ગના સૌથી જરૂરિયાતમંદ અને ગરીબ લોકો સુધી પહોંચવો જોઈએ. જે પરિવારો પહેલેથી જ સરકારી કે બંધારણીય હોદ્દાઓ (IAS, સાંસદ, ધારાસભ્ય, મંત્રી) પર છે, તેમને હવે અનામતનો લાભ ન મળવો જોઈએ. અરજીકર્તાનું કહેવું છે કે હાલની વ્યવસ્થાથી સધ્ધર પરિવારો જ લાભ લઈ રહ્યા છે, જ્યારે ખરેખર વંચિત લોકો હજુ પણ હાંસિયામાં છે.
પેઢી દર પેઢી અનામતના લાભ પર સવાલ અશ્વિની ઉપાધ્યાયે કોર્ટમાં દલીલ કરી કે અનામત મૂળભૂત રીતે માત્ર 10 વર્ષ માટે જ લાવવામાં આવી હતી, જેથી ઝૂંપડપટ્ટીમાં રહેતા શોષિત આદિવાસીઓનો ઉત્થાન થાય. પરંતુ હવે બંગલાઓમાં રહેતા કરોડપતિઓ અનામતનો લાભ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે ઘણા લોકો અનામતથી IAS બને છે, પછી રાજીનામું આપીને અનામત બેઠક પરથી સાંસદ-ધારાસભ્ય બને છે. આ વ્યવસ્થાથી સમાજમાં આર્થિક અસમાનતા વધી રહી છે.
ઉચ્ચ હોદ્દેદારોના બાળકોને અનામતથી દૂર રાખવાની માંગ અરજીમાં ભાર મૂકવામાં આવ્યો છે કે જેઓ અનેક ટર્મ સુધી ધારાસભ્ય, સાંસદ કે મંત્રી રહ્યા છે, તેમના બાળકો પણ અનામતનો લાભ લઈ રહ્યા છે. વરિષ્ઠ IAS અધિકારીઓ અને મુખ્ય સચિવોના બાળકો પણ આ લાભ લે છે, જ્યારે તેઓ આર્થિક રીતે સક્ષમ હોય છે. અરજીકર્તા મુજબ આવા સક્ષમ લોકોએ હવે અનામતનો લાભ લેવાનું છોડી દેવું જોઈએ.
સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદા અને કેન્દ્રનું વલણ 1 ઓગસ્ટ 2024ના રોજ સુપ્રીમ કોર્ટે 20 વર્ષ જૂના ચુકાદાને પલટાવતાં કહ્યું હતું કે રાજ્ય સરકારો SC/ST ક્વોટામાં સબ-કેટેગરી બનાવી શકે છે. તે સમયે જસ્ટિસ બી.આર. ગવઈએ ક્રીમી લેયરની ઓળખ કરવા માટે નીતિ બનાવવાનું સૂચન કર્યું હતું. જોકે કેન્દ્ર સરકારે 9 ઓગસ્ટ 2024ના રોજ સ્પષ્ટ કર્યું કે SC/ST અનામતમાં ક્રીમી લેયર લાગુ નહીં કરાય, કારણ કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી.
સોશિયલ મીડિયા પર ચર્ચા #CreamyLayerSCST #Reservation #SupremeCourt ટ્રેન્ડ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે અરજીને સમર્થન આપ્યું છે અને કહ્યું કે "અનામત ફક્ત જરૂરિયાતમંદ માટે જ હોવી જોઈએ". બીજી તરફ અન્યોએ વિરોધ કર્યો અને લખ્યું કે "આ અનામતને નબળી પાડવાનો પ્રયાસ છે". વિવાદ ચાલુ છે અને સુપ્રીમ કોર્ટના આગામી ચુકાદાની રાહ જોવાઈ રહી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.