છઠ માટે પશ્ચિમ રેલવે મેગા તૈયારી
છઠ પૂજાને લઈ ગુજરાતથી કુલ 36 જેટલી વિશેષ ટ્રેનોની વ્યવસ્થા

દેશભરમાં 12,000 ખાસ ટ્રેનો દોડશે

દેશભરમાં 12,000 ખાસ ટ્રેનો દોડશે
દિવાળીની રજાઓ પૂરી થતાં અને છઠ પૂજાની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ થતાં રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભીડ ઉમટી પડી છે. આ વ્યસ્તતા વચ્ચે પશ્ચિમ રેકવેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ તહેવાર દરમિયાનની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે જણાવ્યું કે દેશભરમાં 12,000 વધારાની ટ્રેનો અને પશ્ચિમ રેલવેમાં 2,000 ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે.
અમદાવાદ-સુરત-મુંબઈમાં સૌથી વધુ ભીડઅમદાવાદ, સાબરમતી, ઉધના-સુરત, વડોદરા અને મુંબઈ વિસ્તારોને હાઈ-ડેન્સિટી ઝોન તરીકે ઓળખવામાં આવ્યા છે.
રેલવેની નવી પહેલ:
સુવિધા અને સુરક્ષા પર ખાસ ધ્યાન“જ્યાં મુસાફરોની સંખ્યા અચાનક વધે, ત્યાં તાત્કાલિક ટ્રેન પ્લેટફોર્મ પર મુકીને રવાના કરવામાં આવશે.”
સોશિયલ મીડિયા પર ભ્રામક વીડિયો અને ખોટી માહિતી ફેલાવાઈ રહી છે.
80-90 હજાર કર્મચારીઓની ફરજGM ગુપ્તાએ અપીલ કરી: “ફક્ત રેલવેના સત્તાવાર ચેનલ્સ પરથી જ માહિતી લો.”
પશ્ચિમ રેલવેના 80 થી 90 હજાર કર્મચારીઓ પોતાના તહેવાર છોડીને મુસાફરોની સુરક્ષિત અને આરામદાયક યાત્રા માટે દિવસ-રાત કાર્યરત છે.
GMનો સંદેશ: “અમારો ઉદ્દેશ્ય – દરેક મુસાફર પોતાના પરિવાર સાથે ખુશીથી તહેવાર ઉજવે.”
છઠ પૂજા માટે રેલવેની આ મેગા તૈયારીથી લાખો મુસાફરોને રાહત મળશે. તમે પણ સુરક્ષિત યાત્રા માટે રેલવેની સત્તાવાર માહિતી પર ભરોસો રાખો!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...