CBSEનો નિર્ણય: 9માં ધોરણમાં ઓપન-બુક પરીક્ષા
NEP સાથે સુસંગત CBSEની નવી પરીક્ષા પદ્ધતિ, મુખ્ય વિષયોમાં ઓપન-બુક પરીક્ષા લાગુ થશે.
9માં ધોરણમાં ઓપન-બુક પરીક્ષા
9માં ધોરણમાં ઓપન-બુક પરીક્ષા
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)એ 2026-27ના શૈક્ષણિક સત્રથી ધોરણ 9 માંઓપન-બુક પરીક્ષાઓ (Open-book exams) દાખલ કરવાનો પ્રસ્તાવ મંજૂર કર્યો છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગોખણપટ્ટી આધારિત શિક્ષણમાંથી બહાર નીકળીને વિદ્યાર્થીઓમાં વિભાવનાત્મક સમજણ અને વિશ્લેષણાત્મક કૌશલ્યો વિકસાવવાનો છે.
પાયલોટ સ્ટડી અને શિક્ષકોનો સપોર્ટ :
CBSEના સર્વોચ્ચ નિર્ણય લેનાર સત્તામંડળ, ગવર્નિંગ બોડીએ જૂનમાં યોજાયેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ પહેલાં બોર્ડે ડિસેમ્બર 2023માં ધોરણ 9થી 12 માટે ઓપન-બુક પરીક્ષાઓ પર એક પાયલોટ સ્ટડી હાથ ધર્યો હતો. આ સ્ટડીમાં વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં પડકારો જોવા મળ્યા જેમાં સ્કોર 12%થી 47% સુધીના હતા. આ દર્શાવે છે કે વિદ્યાર્થીઓને ઉપલબ્ધ સંસાધનોનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે.
જો કે, સ્ટડીમાં શિક્ષકોએ ઓપન-બુક પરીક્ષા પ્રત્યે સકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. તેમણે જણાવ્યું કે આ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં critical thinking વિકસાવવાની ક્ષમતા છે. શિક્ષકોએ એ પણ ભાર મૂક્યો કે વિદ્યાર્થીઓને સંદર્ભ સામગ્રીનો ઉપયોગ કેવી રીતે કરવો અને જ્ઞાનને વ્યવહારિક રીતે કેવી રીતે લાગુ કરવું તે અંગે યોગ્ય માર્ગદર્શન આપવું જરૂરી છે.
નવી શિક્ષણ નીતિ (NEP) 2020 સાથે સુસંગત :
આ નિર્ણય રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળના રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખા (NCFSE) 2023 સાથે સુસંગત છે. NCFSE મુજબ ઓપન-બુક પરીક્ષાઓનો હેતુ વિદ્યાર્થીઓની યાદશક્તિને ચકાસવાને બદલે તેમની માહિતીને સમજવાની, પ્રક્રિયા કરવાની અને વિવિધ સંદર્ભોમાં લાગુ કરવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો છે.
2026-27ના શૈક્ષણિક સત્રથી ધોરણ 9માં ભાષા, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયોમાં આ પરીક્ષાઓનું આયોજન થશે.પરીક્ષાનો તણાવ ઘટાડવો, જ્ઞાનનો વાસ્તવિક જીવનમાં ઉપયોગ શીખવવો અને ગોખણપટ્ટીને બદલે વૈચારિક સમજણ પર ભાર મૂકવો તેનો મુખ્ય ઉદ્દેશ રહેશે. CBSE દ્વારા આ પરીક્ષાઓ માટે માનક નમૂનાપત્રો (sample papers) તૈયાર કરવામાં આવશે જેથી પ્રશ્નોની ગુણવત્તા જળવાઈ રહે અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રોત્સાહન મળે. જોકે, આ નિયમ શાળાઓ માટે ફરજિયાત હશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા નથી.
CBSEએ 2014માં પણ ઓપન ટેક્સ્ટ બેઝ્ડ અસેસમેન્ટ (OTBA) નામની આવી જ એક પદ્ધતિનો પ્રયોગ કર્યો હતો, પરંતુ 2017-18માં તેને બંધ કરી દેવામાં આવ્યો હતો કારણ કે તે વિદ્યાર્થીઓમાં આવશ્યક ક્ષમતાઓ વિકસાવવામાં સફળ થઈ નહોતી.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.