ભૂગર્ભજળમાં આર્સેનિક-ફ્લોરાઇડ: 25 રાજ્યોમાં ખતરો!
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA)નો તમામ રાજ્યોને અહેવાલ દાખલ કરવા આદેશ

NGT બેન્ચે ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઇડની હાજરીના મુદ્દા પર સુનાવણી હાથ ધરી

NGT બેન્ચે ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઇડની હાજરીના મુદ્દા પર સુનાવણી હાથ ધરી
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના અધ્યક્ષ ન્યાયાધીશ પ્રકાશ શ્રીવાસ્તવ, ન્યાયાધીશ સુધીર અગ્રવાલ અને નિષ્ણાત સભ્ય ડૉ. એ. સેન્થિલ વેલની બનેલી NGT બેન્ચે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA) અને વિવિધ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી ભૂગર્ભજળમાં આર્સેનિક-ફ્લોરાઇડ મામલે જવાબ માગ્યો છે. દમણ અને દીવ સિવાયના તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ તેમના અહેવાલો સબમિટ કર્યા હોવાની CGWA ના વકીલે માહિતી સુનાવણી દરમિયાન માહિતી આપી હતી.
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરિટી (CGWA) ને બધા રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી મળેલી માહિતીનું કોષ્ટક બનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમાં અસરગ્રસ્ત જિલ્લાઓ, ગામડાઓ અને સ્ત્રોતોની સંખ્યા તેમજ દરેક રાજ્ય દ્વારા લેવામાં આવેલા પગલાંની વિગતો સામેલ કરવામાં આવી છે.
CGWA ને ભૂગર્ભજળમાં આર્સેનિક અને ફ્લોરાઇડની સમસ્યાને ઉકેલવા માટે જારી કરાયેલી સલાહ/નિર્દેશો/આદેશો જાહેર કરવા કહેવામાં આવ્યું છે. CGWA એ અસરગ્રસ્ત વિસ્તારોમાં આર્સેનિક અને ફ્લોરાઇડ દૂર કરવાના પ્લાન્ટની ઉપલબ્ધતા અને ક્ષમતા અંગે માહિતી પૂરી પાડવાની રહેશે.
સુનાવણી દરમિયાન CGWA એ 6 અઠવાડિયામાં એક વ્યાપક અહેવાલ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો. દમણ અને દીવને 4 અઠવાડિયામાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભૂગર્ભજળમાં આર્સેનિક-ફ્લોરાઇડ બાબતે રજૂ કરાયેલા અહેવાલમાં તમામ રાજ્યોએ અસરગ્રસ્ત જિલ્લાઓ, ગામડાઓ અને સ્ત્રોતોની સંખ્યા તેમજ લેવામાં આવેલા પગલાં જાહેર કર્યા છે. NGT એ 26 એપ્રિલ, 2024 ના રોજ CGWA ને નિર્દેશ આપ્યો હતો કે જ્યાં નમૂનાઓ નિર્ધારિત મર્યાદાથી વધુ જોવા મળ્યાં ત્યાં લેવામાં આવેલા સુધારાત્મક પગલાં અને તેમના પરિણામો જાહેર કરવામાં આવે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...