એક દિવસમાં દેશભરમાં અકસ્માત, 34એ ગુમાવ્યો જીવ
રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ અને ગુજરાતમાં અકસ્માત-આગની દુર્ઘટનાઓથી માતમ.

એક દિવસમાં દેશભરમાં અકસ્માત

એક દિવસમાં દેશભરમાં અકસ્માત
છેલ્લા 24 કલાકમાં ભારત માટે રસ્તો અને રહેણાંક બંને જોખમી સાબિત થયા છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં સર્જાયેલા અલગ-અલગ અકસ્માતો અને દુર્ઘટનાઓમાં કુલ 34 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 25થી વધુ લોકો હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. આ ઘટનાઓએ માર્ગ સલામતી અને ફાયર સેફ્ટીના નિયમો સામે ફરી ગંભીર સવાલો ઉભા કર્યા છે.
રાજસ્થાનના સીકર જિલ્લામાં જયપુર-બિકાનેર હાઈવે પર સૌથી મોટી દુર્ઘટના ઘટી હતી, જ્યાં શોકસભામાંથી પરત ફરી રહેલી મહિલાઓની કારને ટ્રકે ટક્કર મારતા 6 મહિલાઓના કરુણ મોત નીપજ્યા હતા.
આવી જ રીતે મધ્યપ્રદેશના ભોપાલમાં બેરાસિયા પાસે મકર સંક્રાંતિના સ્નાન બાદ પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ટ્રેક્ટર-ટ્રોલીને પીકઅપ વાને ટક્કર મારતા એક જ પરિવારના 3 સભ્યો સહિત 5 લોકોના મોત થયા હતા. ઈન્દોર બાયપાસ પર પણ બોલેરો પલટી જવાથી ૧૧ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં રાત્રિના સમયે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા એક આખા પરિવારનો માળો વિખેરાઈ ગયો હતો. આ ભીષણ આગમાં 3 માસૂમ બાળકો સહિત કુલ 6 સભ્યો જીવતા ભૂંજાઈ ગયા હતા.
તો બીજી તરફ, ગુજરાતમાં પણ રાજકોટ-મોરબી હાઈવે પર બે કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 3 વર્ષના મોક્ષ અને 9 મહિનાની શ્રેયા નામના બે માસૂમ બાળકોના મોત નિપજ્યા છે.
આ તમામ ઘટનાઓમાં પોલીસે ગુના નોંધી તપાસ શરૂ કરી છે. સતત વધતા માર્ગ અકસ્માતો અને ફાયર સેફ્ટીના અભાવે નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે.
સત્તાવાળાઓ દ્વારા કડક ટ્રાફિક નિયમો અને ઈમરજન્સી સેવાઓને વધુ સજ્જ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ શિઝનલ ભીડ અને પ્રવાસ દરમિયાન લોકોએ વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.